નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકને અબજો રુપિયામાં નવડાવીને વિદેશ નાસી ગયેલા મેહુલ ચોક્સીએ જણાવ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેના પર લગાવાયેલા આરોપ ખોટા છે. હાલ એન્ટિગુઆ નામના દેશમાં સ્થાઈ થઈ ગયેલા ચોકસીએ ANIને એક ઈન્ટરવ્યું આપ્યો હતો, જેમાં તેણે આ દાવો કર્યો છે. આ અંગેનો એક વીડિયો તેના વકીલે પોસ્ટ કર્યો છે.
શેલ કંપનીઓ ઉભી કરીને તમામ રુપિયા ટ્રાન્સફર કરી દેવાના ઈડીના આરોપનો જવાબ આપતા ચોકસીએ કહ્યું હતું કે, ઈડીએ ગેરકાયદે રીતે તેની પ્રોપર્ટી સીલ કરી નાખી છે. ચોકસીએ નફ્ફટ બનીને ત્યાં સુધી કહ્યું હતું કે, તેનો પાસપોર્ટ 16 ફેબ્રુઆરીએ સસ્પેન્ડ થઈ ગયો હોવાના કારણે હવે તે દુનિયામાં ક્યાંય જઈ શકે તેમ પણ નથી.
ચોકસીએ કહ્યું હતું કે, 16 ફેબ્રુઆરીએ મને પાસપોર્ટ ઓફિસથી ઈમેલ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે દેશની સુરક્ષા પર ખતરો હોવના કારણે આપનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવે છે. 14,000 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી ચોકસીએ 20 ફેબ્રુઆરીએ પાસપોર્ટ ઓફિસને મેલ કરી પાસપોર્ટ રદ્દ ન કરવા કહ્યું હતું. જોકે, તેનો દાવો છે કે તેને તેનો કોઈ જવાબ નથી મળ્યો.
#WATCH PNB Scam accused Mehul Choksi on his passport revocation. Please note: ANI questions were asked by Mehul Choksi's lawyer in Antigua. pic.twitter.com/dwuPnOPaxd— ANI (@ANI) September 11, 2018
શેલ કંપનીઓ ઉભી કરીને તમામ રુપિયા ટ્રાન્સફર કરી દેવાના ઈડીના આરોપનો જવાબ આપતા ચોકસીએ કહ્યું હતું કે, ઈડીએ ગેરકાયદે રીતે તેની પ્રોપર્ટી સીલ કરી નાખી છે. ચોકસીએ નફ્ફટ બનીને ત્યાં સુધી કહ્યું હતું કે, તેનો પાસપોર્ટ 16 ફેબ્રુઆરીએ સસ્પેન્ડ થઈ ગયો હોવાના કારણે હવે તે દુનિયામાં ક્યાંય જઈ શકે તેમ પણ નથી.
#WATCH Antigua: PNB Scam accused Mehul Choksi says, "all the allegations leveled by ED are false and baseless." pic.twitter.com/hkanruj9wl— ANI (@ANI) September 11, 2018
ચોકસીએ કહ્યું હતું કે, 16 ફેબ્રુઆરીએ મને પાસપોર્ટ ઓફિસથી ઈમેલ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે દેશની સુરક્ષા પર ખતરો હોવના કારણે આપનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવે છે. 14,000 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી ચોકસીએ 20 ફેબ્રુઆરીએ પાસપોર્ટ ઓફિસને મેલ કરી પાસપોર્ટ રદ્દ ન કરવા કહ્યું હતું. જોકે, તેનો દાવો છે કે તેને તેનો કોઈ જવાબ નથી મળ્યો.
No comments:
New comments are not allowed.