Latest

Thursday, September 13, 2018

ઓગસ્ટમાં નિકાસ 19.2% વધી: વેપારખાધ $17.4 અબજ

નવી દિલ્હી:રૂપિયાના મૂલ્યમાં ઘટાડાનો સીધો ફાયદો નિકાસકારોને થયો છે. પેટ્રોલિયમ સહિતનાં સેક્ટર્સની સારી કામગીરીને પગલે ઓગસ્ટ મહિનામાં ભારતની નિકાસ 19.21 ટકા વધીને 27.84 અબજ ડોલરે પહોંચી છે.
વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુએ ટ્વિટ કરી હતી કે, “ઓગસ્ટ 2018માં નિકાસ 27.84 અબજ ડોલર થઈ છે, જે 19.21 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ સિવાયની નિકાસમાં 17.43 ટકા વધારો નોંધાયો છે.” ક્રૂડના વધતા ભાવને પગલે મર્ચેન્ડાઇઝની નિકાસ 25.41 ટકા વધીને 45.24 અબજ ડોલરે પહોંચી છે. તેને લીધે વેપારખાધ 17.4 અબજ ડોલર રહી છે. જુલાઈમાં વેપારખાધ 18.02 અબજ ડોલરની પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી.
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટના ગાળામાં નિકાસમાં 16.1 ટકા વધારો નોંધાયો હતો. સમાન ગાળામાં આયાત 17.34 ટકા વધી હતી. ઉલ્લેખનીય છે કે, રૂપિયો બુધવારે 72.91ની નવી નીચી સપાટીને સ્પર્શ્યો હતો. છેલ્લા કેટલાક સમયમાં સ્થાનિક ચલણમાં નોંધપાત્ર ઘટાડો અને ક્રૂડના ભાવમાં મોટી વૃદ્ધિને કારણે રાજકોષીય ખાધમાં વધારો થવાનો અંદાજ છે. રૂપિયાનો ઘટાડો અને ક્રૂડની તેજી બંને વૈશ્વિક પરિબળો પર આધારિત છે.

No comments:

Pages