Latest

Tuesday, September 11, 2018

દિવાળી વેકેશનમાં જાવ ‘પાર્વતી વેલી’, સુંદરતા જોઈ શિમલા-મનાલી ભૂલી જશો

મનોહર પાર્વતી વેલી


જો તમે ફરવાના શોખીન હોવ તો ચોક્કસ નવી નવી જગ્યા શોધતા જ રહેતા હશો. તો આ દિવાળી વેકેશન માટે અમે લઈ આવ્યા છે એક એવા ડેસ્ટિનેશન વિશેની જાણકારી જેની સુંદરતા અને શાંતિ તમારું મન મોહી લેશે અને તમે શિમલા-મનાલી તો સાવ ભૂલી જ જશો. આ જગ્યા એટલે પાર્વતી વેલી જે હિમાચલ પ્રદેશમાં સ્થિત છે.

ફરવા જનારા ઘણા તો ત્યાં જ વસી ગયા


પાર્વતી વેલી હિમાચલ પ્રદેશની એક એવી જગ્યા છે જ્યાં કુદરતે સૌંદર્ય છુટ્ટા હાથે વેર્યું છે અને સૌથી મોટી વાત તો એ છે કે આ સૌંદર્ય આજદિન સુધી માનવ સ્પર્શથી દૂર રહ્યું છે જેથી ખૂબ જ મનોહર રહ્યું છે. અહીંના ગામ શાંતિ અને શહેરના દેકારાથી દૂર છે અને રમણિયતા તો એટલી કે તમારુ પાછું જવાનું મન જ નહીં થાય કદાચ આ જ કારણે અહીં ફરવા આવેલ ઘણા પ્રવાસીઓ તો કાયમ માટે અહીં જ રહી ગયા છે.

પ્રોફેશન ટ્રેક ગાઇડ વગર ફરવું નહીં


પાર્વતી વેલીમાં ફરવું હોય અને કુદરતી સૌંદર્યને ફક્ત કારમાં બેસીને નહીં પણ નજીકથી જોવું હોય તો પ્રોફેશન ટ્રેક ગાઇડ જરુર હાયર કરવાની સલાહ છે. કેમ કે અહીંના રસ્તા એવા છે કે જ્યાં સુધી તમે જાણકાર નથી ત્યાં સુધી ભૂલા પડવાનું જોખમ રહેલું છે.

પાર્વતી વેલીનું સૌથી સુંદર ગામ


આમ તો પાર્વતી વેલીમાં ઘણા સુંદર ઘર આવેલા છે જ્યાં તમે વેકેશનમાં અદભૂત આનંદ માણી શકો છો. પરંતુ તેમાં કસોલ, તોશ, ચલાલ, રસોલ અને ખીરગંગા સૌથી સુંદર ગામો પૈકી છે. અહીં લોકપ્રિય તીર્થસ્થળ મણિકરણ પણ આવેલું છે.

ખીરગંગા જ્યાં શિવજીએ 3000 વર્ષ સુધી તપ કર્યું


કસોલ ઉપરાંત પાર્વતી વેલીમાં જો કોઈ બીજી સ્થળ વધુ પોપ્યુલર હોય તો તે છે ખીરગંગા, માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવે 3000 વર્ષ સુધી ધ્યાન અને તપ કર્યું હતું. અહીં આવેલા ગરમ પાણીના કુંડ હિંદુ અને શિખ શ્રદ્ધાળુઓ વચ્ચે ખૂબ જાણિતા છે. ઠંડીઓમાં અહીં બરફની સફેદ ચાદર ફેલાઈ જાય છે જોકે આ ગરમ પાણીના કુંડ જેમન તેમ રહે છે. માટે આ સમયે બરફ વચ્ચે આ કુંડમાં નહાવાનો જે અનુભવ છે તે શબ્દોમાં વર્ણન થઈ શકે તેવો નથી.

પરીઓનું જંગલ


જો તમે પાર્વતી વેલીમાં આવ્યા હોવ અને પરીઓના જંગલની મુલાકાત લીધી ન હોય તો અહીં ખોટો ધક્કો ખાધો કહેવાય. અહીંના પુલ્ગા ગામની પાસે દેવદારના વૃક્ષોનું એક જંગલ છે. જેને કેટલાક વર્ષો પહેલા હિપ્પીઝે પરીઓનું જંગલ(ફૈરી ફોરેસ્ટ) નામ આપ્યું હતું. આ હિપ્પીઓનું માનવું હતું કે તેમણે આ જંગલમાં પરીઓને જોઈ હતી.

પાર્વતી વેલી જવા માટે બેસ્ટ ટાઇમ


અહીં ફરવા ઉપરાંત ખાવા-પીવાની પણ અનેક સ્થાનિક મજેદાર આઇટમ મળે છે. અહીં તમને અલગ અલગ પિઝ્ઝાથી લઇને તમારા ભાવતા દરેક પ્રકારના શાક મળી રહે છે. પાર્વતી વેલીમાં ફરવાનો બેસ્ટ સમય ઓક્ટોબરથી જૂન વચ્ચે છે. જ્યારે કસોલમાં વર્ષભર વાતાવરણ ખુશનુમા રહે છે. જોકે તમે ઓક્ટોબરથી નવેમ્બર એન્ડ અને માર્ચથી મે વચ્ચે અહીં ઘણું એક્સપ્લોર કરી શકો છો.

જુઓ અદભૂત સૌંદર્ય


જુઓ અદભૂત સૌંદર્ય


જુઓ અદભૂત સૌંદર્ય


જુઓ અદભૂત સૌંદર્ય





No comments:

Pages