Latest

Tuesday, September 11, 2018

અમદાવાદ એરપોર્ટ પર એવું તો શું થયું કે સની લિયોનીને આવી ગયો જોરદાર ગુસ્સો?

સની અમદાવાદથી નારાજ!

   અમદાવાદ: પોતાની વેબ સિરીઝના બીજા ભાગના પ્રમોશન માટે અમદાવાદ આવેલી સની લિયોનીએ જણાવ્યું છે કે, તે હવે ક્યારેય અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઈટ નહીં પકડે. સનીના સિક્યોરિટી સ્ટાફને એરપોર્ટ પર સિક્યોરિટી ચેક દરમિયાન પ્રાયોરિટી ન મળતા સની લિયોની એરપોર્ટના અધિકારીઓ પર જોરદાર નારાજ છે.

કેમ સનીને આવ્યો ગુસ્સો?


એરપોર્ટના એક સૂત્રના જણાવ્યા અનુસાર, સનીના બોડીગાર્ડ્સને સિક્યોરિટી ચેક દરમિયાન લાઈનમાં આગળ ન આવવા દેવાતા સની ગુસ્સે ભરાઈ હતી. સનીને ડર હતો કે ક્યાંક તેને લોકો ઘેરી ન લે. તેણે સુરક્ષા અધિકારીઓને કહ્યું હતું કે તેના બોડીગાર્ડ્સને પણ લાઈન ક્રોસ કરી આગળ આવવા દેવામાં આવે. બંને વચ્ચે આ મામલે બોલાચાલી પણ થઈ હતી, પરંતુ સુરક્ષા અધિકારીઓ નહોતા માન્યા.

સનીએ ટ્વીટ પણ કરી નાખ્યું


આ ઘટનાથી સનીને એટલો ગુસ્સો આવ્યો હતો કે, તેણે આ અંગે ટ્વીટ પણ કરી નાખ્યું હતું. પછીથી તેણે લખ્યું હતું કે, ઘણી બાબતો હતી, પરંતુ મને અપેક્ષા હતી કે એરપોર્ટનો સ્ટાફ મને મદદ કરશે, મને લાગે છે કે તે મારી ભૂલ હતી. મને નથી લાગતું કે હવેથી હું આ મામલે પહેલેથી ચોખવટ કર્યા વગર અમદાવાદ એરપોર્ટ પર આવીશ.

સની લિયોની કોઈ VIP નથી


આ અંગે એરપોર્ટના ડિરેક્ટર ઈન ચાર્જ રાજીવ મહેતાએ જણાવ્યું હતું કે, સની લિયોની કોઈ VIP નથી. જો તેની સાથે કંઈ થયું હોત તો કંઈ અમારા સુરક્ષા અધિકારીઓ ચૂપચાપ ઉભા નહોતા રહેવાના. તેની ટીમે બધુ યોગ્ય રીતે પ્લાન કરવું જોઈતું હતું, અને તેના બોડીગાર્ડ્સ પહેલાથી જ ચેકઈન કરી લે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તેમની હતી. પેસેન્જરોની લાંબી લાઈન કૂદવી યોગ્ય નથી, અને તેની સમહતી પણ ન આપી શકાય.

છેલ્લી ઘડીએ આવી હતી સની અને તેની ટીમ


સની જે એરલાઈનમાં જવાની હતી તેના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, સની અને તેની ટીમ ગેટ ક્લોઝ થાય તેના થોડા જ સમય પહેલા આવ્યાં હતાં. અમારા એક એક્ઝિક્યુટિવ તેને એસ્કોર્ટ કરી સિક્યોરિટી ચેક માટે લઈ ગયા હતા. જોકે, સુરક્ષા અધિકારીઓએ તેના બોડીગાર્ડ્સને લાઈનમાં વચ્ચે નહોતા આવવા દીધા. પાછળથી તેના એક બોડીગાર્ડને તેના માટે પરવાનગી અપાઈ હતી.

No comments:

Pages