Latest

Sunday, September 16, 2018

જાણો, શું છે ગૌરી પૂજનનું મહત્વ અને વિધિ

ગણેશ ચતુર્થીના ચોથા દિવસે ગૌરી પૂજન


ગૌરી પૂજનમાં મહિલાઓ માતા પાર્વતીની આરાધના કરે છે. આ તહેવાર મુખ્યત્વે મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાં ઉજવવામાં આવે છે. ગૌરી પૂજન દર વર્ષે ગણેશ ચતુર્થીના ચોથા કે પાંચમાં દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવીનું આવાહન કરવામાં આવે છે. તેમની પ્રતિષ્ઠ કરવામાં આવે છે અને બીજા દિવસે મુખ્ય પૂજા થાય છે. ત્રીજા દિવસે દેવીની વિદાય કરવામાં આવે છે.

શા માટે કરવામાં આવે છે ગૌરી પૂજન


ગૌરી પૂજન સામાન્ય રીતે સુખ-સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. દેવીને પ્રસન્ન કરવાથી ઘરમાં ખુશીઓ ની સાથે ધન-ધાન્ય વધે છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો વધારે મજબૂત બનાવે છે. આ ઉપરાંત લગ્નમાં આવતી મુશ્કેલીઓ દૂર કરે છે. આ પૂજન કરવાથી તમને મનગમતો જીવનસાથી મળે છે.

આવી રીતે કરો પૂજા


-દેવોમાં સર્વોપરિ શ્રીગણેશની પૂજાથી આરંભ કરવો
-ગણપિતને સૌથી પહેલા ગાંગાજળથી સ્નાન કરાવો
-પછી પંચામૃતથી ફરી ગંગાજળ સાથે સ્નાન કરાવી, સાફ કપડાથી લૂંછીને આસન પર મૂકો.
-ત્યાર બાદ માતા ગૌરીને તમારા ઘરે આવવા માટે આહ્વાન કરો.
-હવે વસ્ત્ર અર્પણ કરો અને ધૂપ-દીવો કરો અને ફૂલ હાર ચઢાવ. પ્રસાદ અને દક્ષિણા ચઢાવો.
-પૂજા દરમિયાન ઓમ ગૌર્યે નમઃ વ ઓમ પાર્વત્યૈ નમઃ મંત્રનો જાપ કરો.


No comments:

Pages