આ ફિલ્મ માટે થઈ હતી પસંદગી

છેલ્લા કેટલાક સમયથી બી-ટાઉનમાં એવી ચર્ચા થાય છે કે, કરીના કપૂર ખાન ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મમાં જોવા મળી શકે છે. ફિલ્મ બાજીરાવ મસ્તાની વખતે પણ કરીના કપૂર ખાન પર પસંદગી ઊતારવામાં આવી હતી અને એ વખતે બાજીરાવનો રોલ સલમાન ખાન કરવાનો હતો. આ અંગેનું એક પોસ્ટર પણ તૈયાર થયું હતું પણ ફિલ્મ કોઈ કારણોસર સલમાન સાથે ન બની.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
કરીના એ આ ફિલ્મ છોડી દીધી

સંજયની ફિલ્મ રામલીલા વખતે પણ કરીના કપૂર ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ ફિલ્મના શુટિંગના એક અઠવાડિયા પહેલાં જ કરીનાએ આ ફિલ્મ પણ છોડી દીધી હતી. જેથી કરીના અને સંજય વચ્ચે કડવાશ પણ ઊભી થઈ હતી. તાજેતરમાં જ કરીના કપૂરે આ વાત કરી હતી. જ્યારે કરીનાને પૂછવામાં આવ્યું કે, કરીના શું કરવા માગે છે ત્યારે તેણે કહ્યું કે, જ્યારે તૈમુર 10 વર્ષનો થઈ જશે ત્યાર બાદ તે સંજયની ફિલ્મમાં કામ કરશે. કારણ કે એ પહેલા હું તૈમુરને છોડી નહીં શકું.
કરણની આ ફિલ્મમાં હતી કરીના

વીરે દી વેડિંગ ફિલ્મમાં કરીનાના રોલ બાદ અક્ષય કુમાર સાથેની ફિલ્મ ગુડ ન્યુઝ અને તખ્તમાં કામ કર્યું હતું. આ બંને ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર હતા. જોકે, ફિલ્મો બાદ કરીનાની કોઈ નવી ફિલ્મ આવી નથી. હાલમાં તે કોઈ ફિલ્મના શુટિંગ એસાઈમેન્ટ પર હોવાના પણ સમાચાર નથી. હાલમાં તે કસરત કરીને પોતાના ફીગર પર ફોક્સ કરી રહી છે.
No comments:
New comments are not allowed.