Latest

Friday, November 16, 2018

એક વર્ષમાં 14 કરોડ રુપિયાના ચાદર, રુમાલ ચોરી ગયા AC ટ્રેનના મુસાફરો!

14 કરોડનો સામાન ચોરી?

IANS, નવી દિલ્હીઃ ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરનારા પૈસાવાળા લોકો રુમાલ, ચાદર અને ધાબળા ચોરીના મામલે શકના ઘેરામાં છે. 2017-18 દરમિયાન ટ્રેનના AC કોચોમાંથી લાખો રુપિયાના ચાદર, ધાબળા અને રુમાલ ગાયબ થઈ ગયા છે. જેની કુલ કિંમત 14 કરોડ રુપિયા જણાવવામાં આવી છે. રેલવેના એક અધિકારીએ આ માહિતી આપી છે.

આટલી વસ્તુઓ ગાયબ

પાછલા વર્ષે દેશભરમાં ટ્રેનોમાં AC કોચમાં લગભગ 21,72,246 બેડરોલ ગાયબ થઈ ગયા છે, જેમાં 12,83,415 રુમાલ, 4,71,077 ચાદર અને 3,14,952 તકિયાના કવર ચોરાઈ ગયા છે. આ સિવાય 56,287 તકિયા અને 46,515 ધાબળા ગાયબ છે.

વોશરુમમાંથી પણ ચોરી

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગાયબ થયેલા સામાનની કુલ કિંમત 14 કરોડ રુપિયા થાય છે. આટલું જ નહીં વોશરુમમાંથી મગ, ફ્લશ પાઈપ અને કાચની પણ ચોરી થયાના રિપોર્ટ પણ સમયાંતરે નોંધાતા રહ્યા છે. AC કોચમાં મુસાફરી કરનારા યાત્રાઓ માટે સારી સુવિધા આપવાની કોશિશ કરતા રેલવે માટે આ ચોરી નવી સમસ્યા પેદા કરી રહી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2FnQwN5

No comments:

Post a Comment

Pages