સચીન દવે
મુંબઈ:બેન્કમાં લઘુતમ બેલેન્સ જાળવી રાખનારા ગ્રાહકોને જે ‘ફ્રી સર્વિસ’ પૂરી પાડવામાં આવે છે તેના પર હવે તેમણે ટેક્સનો સામનો કરવો પડશે. એસબીઆઇ, ICICI બેન્ક, HDFC બેન્ક, PNB અને એક્સિસ બેન્ક જેવી બેન્કો ખર્ચમાં થયેલા આ વધારાને ગ્રાહકો પર નાખવા વિચારે છે. છેલ્લા બે મહિના દરમિયાન ટેક્સ વિભાગે બેન્કોને આ પ્રકારની નોટિસ જારી કરી છે. આ નોટિસના કારણે બેન્કો ચેક બૂક્સ, વધારાનું ક્રેડિટ કાર્ડ, વધારાના એટીએમ યુસેજ, ફ્યુઅલ સરચાર્જના રિફંડ જેવી સર્વિસિસ પર માસિક કે ત્રિમાસિક ધોરણે 18 ટકા જીએસટી ઉઘરાવશે.
એપ્રિલમાં જારી કરવામાં આવેલી નોટિસ કરતાં આ જીએસટી નોટિસ અલગ છે, તેમાં બધી બેન્કો પાસેથી સર્વિસ ટેક્સ અને દંડ પેટે ₹40,000 કરોડ વસૂલવાની વાત હતી. તેમણે જણાવ્યું હતું કે, “મોટા ભાગની બેન્કો જીએસટીનો ખર્ચ ગ્રાહક પર પસાર કરવા વિચારી રહી છે. આ ખર્ચ સીધો પસાર કરવામાં આવશે અને આ રકમ સીધી સરકારના ખાતામાં જમા થશે.” એમ ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશન (આઇબીએ)ના સીઇઓ વીજી કન્નને ઇટીને જણાવ્યું હતું. હવે ગ્રાહક પર કેટલો ચાર્જ કરવો તે ચાર્જ દરેક બેન્કે જુદો જુદો હશે અને તેનો આધાર કેટલી ફ્રી સર્વિસિસનું મૂલ્ય થાય છે.”
મોટા ભાગની બેન્કો ગ્રાહકોને વિવિધ પ્રકારનાં ખાતાં ઓફર કરે છે અને દરેક પ્રકારનાં ખાતાંમાં કેટલીક સર્વિસ પૂરી પાડે છે. કેટલીક બેન્કોના માપદંડમાં એક લઘુતમ બેલેન્સ જાળવી રાખવાની વાત છે અને ગ્રાહકને તે કેટલીક ફ્રી સર્વિસિસ પૂરી પાડે છે. ટેક્સ વિભાગ ઇચ્છે છે કે બેન્કો દ્વારા ફ્રી સેવા પૂરી પાડવા બદલ કોઈ ચાર્જ વસૂલાતો નથી તો તેના પર ઈનડાયરેક્ટ ટેક્સ વસૂલવો જોઈએ.
જીએસટીની ગણતરી જે ગ્રાહકો મિનિમમ એકાઉન્ટ બેલેન્સ જાળવતા નથી તેમની પાસેથી વસૂલાતા ચાર્જના આધારે કરાશે. ટેક્સ વિભાગનો દાવો છે કે મિનિમમ બેલેન્સ રાખતા ગ્રાહકોને બેન્ક ‘ડીમ્ડ વેલ્યૂ સર્વિસિસ’ પૂરી પાડે છે. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે આ નોટિસ આ વર્ષે એપ્રિલમાં બેન્કોને જારી કરવામાં આવેલી સર્વિસ ટેક્સ નોટિસના પગલે પૂરી પાડવામાં આવી છે. પીડબલ્યુસી ઇન્ડિયાના ડેપ્યુટી ઇનડાયરેક્ટ ટેક્સ લીડર ધર્મેશ પંચાલે જણાવ્યું કે, “અમે સમજીએ છીએ કે ઉદ્યોગે નાણામંત્રાલયને રજૂઆત કરી છે. જીએસટીના FAQ પણ સ્વીકારે છે કે ફ્રી સપ્લાયને બેન્ક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા માટેની સુવિધા ગણી ન શકાય.”
from Page Array – I Am Gujarat https://ift.tt/2AAk44h
No comments:
Post a Comment