Latest

Thursday, November 22, 2018

1971ના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકની વિધવાને 46 વર્ષ બાદ હવે મળશે પેન્શન

46 વર્ષ બાદ ચિત્રા સામંતને મળશે સંપૂર્ણ પેન્શન


વીર ચક્ર વિજેતા લેફ્ટિનેન્ટ સુરેશ ગજાનન સામંત શહીદ થયા તેના 46 વર્ષ બાદ તેમનાં પત્ની ચિત્રા સામંતને પેન્શનનો પૂરો હક મળવા જઈ રહ્યો છે. સુરેશ ગજાનન વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમિયાન કરાચીમાં પાણીની નીચે હુમલાખોરોની તલાશ કરતી વખતે શહીદ થયા હતા. 46 વર્ષ બાદ હવે ચિત્રા સામંતને તેમનું સંપૂર્ણ પેન્શન મળશે કારણકે હવે તેમની કાગળ પરની કાર્યવાહી ખત્મ થઈ ગઈ છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

હવે રૂપિયા 97,400નું સુધારા બાદનું પેન્શન મળશે


ગત 16 નવેમ્બરે પ્રિન્સિપલ કંટ્રોલર ઓફ ડિફેન્સ અકાઉન્ટ્સ (પીસીડીએ), અલાહાબાદે લિબ્રલાઈઝ્ડ ફેમિલી પેન્શનને મંજૂરી આપી દીધી છે. ઓફિસે ચિત્રા સામંત માટેનો સંશોધિત પેન્શન ઓર્ડર આપી દીધો છે. ગત 46 વર્ષોથી તેઓને પ્રતિ માસ 29,834 રૂપિયાનું સામાન્ય પેન્શન મળી રહ્યું હતું પણ હવે આગામી મહિનાથી તેમને 97,400નું સંશોધિત પેન્શન મળશે. આ સિવાય તેઓને વર્ષ 1972થી લંબાયેલ તમામ નાણા ચૂકવવામાં આવશે.

મને સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ હતો: ચિત્રા સામંત


ચિત્રા સામંત મુંબઈથી પૂને ચાલ્યા ગયા હતા, અહીં ચાર દાયકાથી વધુ સમય પસાર કર્યા બાદ હવે તેમનું પેન્શન વધારવામાં આવ્યું છે. ચિત્રા સામંતે જણાવ્યું કે મને લાગતું હતું કે સરકાર દ્વારા મને જે પેન્શન આપવામાં આવી રહ્યું છે તે યોગ્ય છે. મને સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ હતો. ચિત્રા સામંતને તેમના અધિકારો વિશે ત્યારે ખબર પડી કે જ્યારે તેઓ સપ્ટેમ્બરમાં સૈનિક વેલફેયર ઓફિસ પહોંચ્યા. બાદમાં હવે ચિત્રા સામંતને સંપૂર્ણ પેન્શન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.


No comments:

Pages