એસ.ટી બસને નડ્યો અકસ્માત

દેવભૂમિ દ્વારકામાં શનિવારે સવારે એસ.ટી બસને અકસ્માત નડ્યો હતો. પોરબંદર રોડ પાસે વહેલી સવારે એક સલાયા -જૂનાગઢ રૂટની એસ.ટી બસ પલટી જતા દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ બસમાં મુસાફરી કરેલા કુલ 35 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. હાલમાં બધા જ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બસમાં સવાર 35 મુસાફરો થયા ઈજાગ્રસ્ત

એક સ્થાનિક ન્યૂઝ ચેનલ અનુસાર શનિવારની સવારે દેવભૂમિ દ્વારકામાં એક દુર્ઘટના બની હતી. જેમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી એસ.ટી બસ પોરબંદર રોડ પાસે પલટી મારી ગઈ હતી. આ બસમાં કુલ 60 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતથી બસમાં સવાર કુલ 35 જેટલા લોકોને નાની-મોટી ઈજાો પહોંચી છે. જેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા

બસ પલટી ખાતાની જાણ થતા જ 108ના જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક રીતે ઈજાગ્રસ્ત લોકોને સ્થળ પર જ સારવાર અપાઈ હતી. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને જામખંભાળીયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ઊંધી પડેલી બસમાંથી લોકોને કાઢવાનું રાહત કાર્ય શરૂ કરી દીધું હતું.
ડીઝલથી લથબથ થઈ ગયા યાત્રીઓ

ઉલ્લેખનીય છે કે શનિવારથી ગિરનાર પરિક્રમા ચાલુ થઈ રહી હોવાથી બસ ખીચોખીચ યાત્રીઓથી ભરેલી હતી. આ કારણે બસમાં 60 જેટલા મુસાફરો સવાર હતાં. બસ પલટી ખાતા ડીઝલનું ઢાંકણું ખુલી ગયું હતું જેના કારણે અનેક મુસાફરો ડીઝલથી લથબથ થઈ ગયા હતા.
No comments:
New comments are not allowed.