પતાસું

એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને પતાસું ખૂબ જ પસંદ છે, દિવાળી પર લાડુ અને ગોળમાંથી તૈયાર કરેલી વાનગીની સાથે-સાથે લક્ષ્મી માતાને પતાસું ધરાવો. પતાસું ધરાવવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
શિંગોડું

શાસ્ત્રો અનુસાર લક્ષ્મી માતાને પાણી ખૂબ જ પસંદ છે, આ કારણે તેઓને પાણીમાં ઉગતા ફળ અને ફૂલ ખૂબ જ પસંદ હોય છે. એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીને પાણીમાં ઉગતું શિંગોડું ખૂબ જ પસંદગીનું ફળ છે, આ દિવાળી પર આ ફળ લક્ષ્મી માતાને પ્રસાદરૂપે ચોક્કસ ધરાવો.
મખાણા

દેવી લક્ષ્મી માતાને પ્રસાદમાં મખાણેનો ભોગ ધરાવો ખૂબ જ લાભદાયી હોય છે, મખાણે એ દેવી લક્ષ્મીના પ્રિય કમળનું ફૂલ હોય છે માટે આ માતા લક્ષ્મીને ખૂબ જ પસંદ છે.
નારિયેળ

નારિયેળને હિન્દૂ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે, નારિયેળ પણ માતા લક્ષ્મીનું પ્રિય ફળ છે. લક્ષ્મી માતાને દિવાળી પર નારિયેળનો પ્રસાદ ધરાવવો શુભ માનવામાં આવે છે અને તેનાથી માતાજી પ્રસન્ન થશે.
પાન

દિવાળીમાં પૂજા-પાનનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, કોઈ પણ રીતે પૂજામાં પાન ભગવાનને અર્પણ કરવામાં આવે છે, પણ દિવાળીમાં ખાસ પૂજામાં લક્ષ્મી માતાને મીઠું પાન અર્પણ કરવામાં આવે છે. લક્ષ્મી પૂજા સંપન્ન થયા બાદ માતા લક્ષ્મીને પાનનો ભોગ ધરાવવો જોઈએ કે જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ રહેશે.
No comments:
New comments are not allowed.