68% લોકોનો ઉપચાર પ્રાઇવેટ હોસ્પિટલમાં
સુષમી ડે, નવી દિલ્હીઃ મોદી સરકારની બહુચર્ચિત આયુષ્માન ભારત હેલ્થ ઇંસ્યોરન્સ યોજનાને લઈને ઉત્સાહજનક આંકડા સામે આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 2.3 લાખ લાભાર્થીઓમાંથી 68% લોકોને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં સારવાર મળી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સરકારના રુપિયાથી ચાલવાવાળી આ હેલ્થ ઇંશ્યોરન્સ સ્કીમને 23 સપ્ટેમ્બરના રોજ લોંચ કરવામાં આવી હતી. નેશનલ હેલ્થ એજન્સી(NHA)ના ડેટા મુજબ અત્યાર સુધી આ સ્કીમમાં 2 લાખ 32 હજાર 592 લોકોને હોસ્પિટલમાં સારવાર મળી ચૂકી છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
મોદી કેરને મોટી સફળતા

આંકડા મજુબ સૌથી વધુ ચહેરા અને મોઢાને લગતી સર્જરી, સામાન્ય સર્જરી, આંખના રોગ, સ્ત્રી રોગ જેવી સમસ્યાનો લોકોએ આ સ્કીમ અંતર્ગત ઉપચાર કરાવ્યો છે. તેમજ માથામાં ઈજાને લઈને કરવામાં આવેલ ઓપરેશન્સ પણ ખૂબ મોટા પ્રમાણે આ સ્કીમ અંતર્ગત કરવામાં આવ્યા છે. જેના દ્વારા એ જાણવા મળે છે કે વીમા યોજના અંતર્ગત એક્સિડેન્ટના કેસમાં પણ ઘણાબધા ક્લેમ આવ્યા છે. આ આંકડા એટલા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કેમ કે NHA દ્વારા ફિક્સ કરવામાં આવેલ લૉ પ્રાઇસ પેકેજને શરુઆતમાં પ્રાઇવેટ હોસ્પિટલ્સે ચિંતા વ્યક્ત કરી હતી.
એક સમયે સસ્તી સેવાનો વિરોધ કરી હોસ્પિટલ્સ પણ યોજનામાં સામેલ

આંકડા મુજબ અત્યાર સુધી 55482 હોસ્પિટલ્સે આ યોજના અંતર્ગત પેનલમાં સામેલ થવા માટે NHAને આવેદન પાઠવ્યું છે. તેમાંથી 15000 હોસ્પિટલને પેનલમાં સામેલ કરી લેવામાં આવી છે. જેમાંથી લગભગ 8000 હોસ્પિટલ પ્રાઇવેટ સેક્ટરની છે. આયુષ્માન ભારતના ડે. ચીફ એક્ઝેક્યુટિવ દિનેશ અરોડાનું કહેવું છે કે કોસ્ટિંગની સમસ્યા ખાસ કરીને દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોમાં છે. જ્યાં સર્વિસ અને માનવ સંસાધનની કિંમત અપેક્ષા કરતા વધારે છે.
નાના અને મધ્યમ શહેરોમાં યોજાનાને જબ્બર પ્રતિસાદ

તેમણે વધુમાં કહ્યું કે, ‘હરિયાણા, યુપી, ઝારખંડ અને છત્તિસગઢ જેવા રાજ્યોમાં ટાયર 2 અને 3 શહેરોમાં રિસ્પોન્સ ખૂબ જબરજસ્ત છે.’ તમને જણાવી દઇએ કે આયુષ્માન ભારત અંતર્ગત ભારત સરકાર આરોગ્ય મામેલ ખર્ચને મર્યાદિત કરીને શક્ય બને તેટલા વધુ લોકો સુધી ઉત્તમ હેલ્થકેર સેવા પહોંચાડવાનો ધ્યેય ધરાવે છે. અલબત્ત દેશમાં આરોગ્ય સુવિધાઓ પાછળ લોકોને પોતાના ખિસ્સામાંથી 60 ટકા રકમ તો ખર્ચ કરવી પડે છે. તેમ છતા ઉત્કૃષ્ટ સેવાઓ તેના કરતા પણ મોંઘી હોવાના કારણે ઘણા લોકો તેનાથી વંચીત રહી જાય છે.’
દરેક માણસ સુધી સસ્તી આરોગ્ય સેવા પહોંચાડવાનું લક્ષ્ય

દિનેશ અરોડાનું કહેવું છે કે, ‘અમારું લક્ષ્ય છે કે રોજના દેશભરમાં 6000-7000 દર્દીઓને ત્રીજા સ્તરની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીએ. મોદીકેર નામથી ફેમસ આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લગભગ 10 કરોડ 74 લાખ વંચીત પરિવારોના કુલ 50 કરોડ લોકોને વાર્ષીક 5 લાખ સુધીની હેલ્થ કેર સુવિધા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.’
from Page Array – I Am Gujarat https://ift.tt/2QTQH3N
No comments:
Post a Comment