Latest

Sunday, November 25, 2018

અયોધ્યા મંદિર મુદ્દે મોદીનો કોંગ્રેસ પર વાર ‘જજોને ડરાવી રહી છે કોંગ્રેસ’

અયોધ્યા મુદ્દે PM મોદી તોડ્યું મોન


અલવરઃ રાજસ્થાનના અલવરમાં ચૂંટણી રેલી સંબોધતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર જબરજસ્ત હુમલો કર્યો હતો. મોદીએ પોાતના ભાષણમાં અયોધ્યાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે કોંગ્રેસ ન્યાયિક પ્રક્રિયામાં દખલ આપે છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસના જ નેતાઓ હતા જેમણે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મુદ્દે સુનાવણી ટાળવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા અને સીનિયર વકીલ કપિલ સિબ્બલ સુન્ની વક્ફ બોર્ડ તરફથી સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર વિરુદ્ધ કેસ લડી રહ્યા છે અને તેમણે મંદિર મુદ્દે સુનાવણી 2019માં ચૂંટણી સુધી ટાળી દેવા માટે અપીલ કરી હતી. પીએમ મોદીએ અહીં ન અટકતા કોંગ્રેસ પર જાતીવાદ ફેલાવવાનો આરોપ પણ મુક્યો હતો. તેમણે કોંગ્રેસી નેતા દ્વારા પોતાના પર કરવામાં આવેલ જાતીવાદી ટિપ્પણનીનો આધાર લઈને કોંગ્રેસ પર જાતિવાદ ફેલાવવાનો આરોપ મુક્યો.

કોંગ્રેસ જજોને નિર્ણય લેતા ડરાવી રહી છે


મોદીએ કહ્યું કે, ‘જ્યારે કોર્ટમાં અયોધ્યા કેસ ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસી નેતાઓએ કોર્ટેને કહ્યું કે 2019 સુધી કેસ ન ચલાવો કેમ કે 2019માં દેશમાં ચૂંટણી છે. પણ શું કોર્ટને આ રીતે રાજકરણમાં ખેંચવી યોગ્ય છે. જ્યારે દેશના સર્વોચ્ચ કોર્ટના કોઈ જજ અયોધ્યા જેવા ગંભીર અને સંવેદનશીલ કેસમાં સમયસર ચુકાદો આપવા ન્યાય માટે તમામ પક્ષોને સાંભળવા માગતા હતા ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને વકીલ સુપ્રીમ કોર્ટના જજ સામે મહાભિયોગ લાવવાની તૈયારી કરીને તેમને ડરાવવાનું કામ કરી રહ્યા હતા. એટલે લાગી રહ્યું છે કે કોંગ્રેસે હવે મંદિર ન બનવા દેવા માટે ડરાવવા ધમકાવવાનો નવો ખેલ શરુ કર્યો છે.’

કોંગ્રેસ પર જાતિવાદનો આરોપ


પ્રધાનમંત્રીએ ઉપસ્થિતિ મેદનીને કહ્યું કે, શું મોદી કોઈ જગ્યા વિશેષ કે સમાજમાં જન્મે તેથી તેનાથી રાજસ્થાનનું ભવિષ્ય પ્રભાવિત કઈ રીતે થાય? પરંતુ આવા નિવેદન આપીત કોંગ્રેસ પોતાનું સ્વરુપ દર્શાવી રહી છે કે તેમના મૂળ સ્વભાવમાં જાતિવાદનું કેટલું ઝેર ભર્યું છે. આ જાતિવાદમાં ડૂબેલા લોકો છે ગરીબો, દલીતો અને શોષિતો માટે તેમના મનમાં નીચલી કક્ષાનો અને નફરતનો ભાવ જ ભર્યો છે. તેમણે બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસ દ્વારા ભારત રત્ન ન આપવાના મુદ્દાને ઉઠાવીને કહ્યું કે આ જ કોંગ્રેસની માનસિક્તા છે. તેમણે કહ્યું કે ભારતના નેતા તરીકે જ્યારે હું વિદેશ જાઉં છું તો લોકોને મારી જાતી નહીં પણ સવાસો કરોડ ભારતીયો દેખાય છે.

વિકાસના મુદ્દે ચર્ચા કરવાની હિંમત નથી કોંગ્રેસમાં


કોંગ્રેસ સત્તા માટે એટલી હદે નીચે પડી ગઈ છે કે તેમના તમામ નેતાઓએ રાજકરણના સંસ્કાર પણ ભૂલી ચૂક્યા છે. વિકાસ જેવા મુદ્દે ચર્ચા કરવાની હિંમત ગુમાવી ચૂક્યા હોય સાવ છેલ્લી કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે. જો હિંમત હોય તો રાજસ્થાનની વસુંધરા રાજે સરકારના કાર્યકાળ સાથે પોતાની સરકારા કાર્યકાળની તુલના કરવા આગળ આવે. જ્યારે તમારી પાસે કોઈ વિઝન કે તર્ક નથી એટલે ચૂંટણીનો મુદ્દો છે કે મોદીની જાત કઈ છે? શું તમે લોકો આ આધારે વોટ કરશો?

સંતોએ દેશને જોડ્યો-કોંગ્રેસે તોડ્યો


પોતાના પક્ષ કરતા મોટો દેશ છે આ વાત યાદ અપાવીને પીએમ મોદીએ કહ્યું કે, ‘દલિતો વિરુદ્ધના અનેક મોટા નરસંહાર તો કોંગ્રેસના રાજમાં થયા છે. જેમ કે 2010માં હરિયાણાના મિર્ચીપુરમાં, 2005માં સોનિપત પણ દલિતોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ભારત દેશની પરંપરા અને કોંગ્રેસ પાર્ટીના સંસ્કાર અલગ અલગ છે. આપણે ત્યાં સંતો દેશને જોડવાનું કામ કરે છે ત્યારે કોંગ્રેસ તોડવાનું કામ કરે છે.’


No comments:

Pages