Latest

Wednesday, November 21, 2018

દર ચારમાંથી ત્રણ સ્ત્રીઓને હોય છે આ રોગ, આટલું કરશો તો તમે બચી જશો

ઓસ્ટિયોપોરોસિસઃ


આજકાલ છોકરીઓ દેખાવ પ્રત્યે એટલી સજાગ છે કે સૂર્યપ્રકાશને કારણે ટેનિંગ ન થઈ જાય એટલે કાં તો તડકામાં બહાર જ નથી નીકળતી અથવા તો સનસ્ક્રીન લગાવીને જ બહાર નીકળે છે. વળી ખોરાક પણ એવો થઈ ગયો છે જેમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોતુ નથી. વળી પ્રદુષણ વધતા ઓસ્ટિયોપોરોસિસનું પ્રમાણ વધી રહ્યું છે. નાની ઉંમરની છોકરીઓ, કિશોરીઓ અને પ્રેગનેન્ટ સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ અને મેનોપોઝ સમયે સ્ત્રીઓ જો કેલ્શિયમનું ઓછુ સેવન કરે તો તેમને આ સમસ્યા થઈ શકે છે. ભારતમાં 80 ટકા સ્ત્રીઓ એટલે કે ચારમાંથી ત્રણ મહિલાઓ ઓસ્ટિયોપોરોસિસથી પીડાય છે. 50 વર્ષથી વધુ અને મેનોપોઝ આવી ગયો હોય તેવી સ્ત્રીઓને ઓસ્ટિયોપોરોસિસ થવાની વધુ શક્યતા છે.

શું છે કારણ?


સ્ત્રીઓને રોજ ઓછામાં ઓછા 10થી 20 માઈક્રોગ્રામ વિટામિન ડીની જરૂર પડે છે. આધુનિક જીવનશૈલી, નિષ્ક્રિય રહેવાની આદત, દારુ અને તમાકુનુ સેવન, જંકફૂડનું સેવન, ડાયાબિટીસ, ભોજનમાં મિલાવટ વગેરેને કારણે ઓસ્ટિયોપોરોસિસના કેસ વધતા જાય છે.

ઓસ્ટિયોપોરોસિસમાં શું થાય?


આ રોગમાં તમારા હાડકા એટલી હદે નબળા પડી જાય છે કે હલકો ઝટકો લાગવા પર, પડી જવા પર, છીંકવા પર કે ખાંસવામાં પણ ફ્રેક્ચર થઈ જાય છે. આ પરિસ્થિતિ અચાનક પેદા નથી થતી પણ ઉંમર વધવા સાથે ઝડપથી વધે છે.

શું કરી શકાય?


હાડકા અને હાડપિંજરને મજબૂત કરવામાં પૂરતો અને સ્વસ્થ આહાર જરૂરી છે. સ્વસ્થ આહાર અને સક્રિય જીવનશૈલીથી તમે આ રોગથી બચી શકો છો. દરરોજ ઓછામાં ઓછી 40 મિનિટ તડકામાં રહેવુ જરૂરી છે. વિટામિન ડી સીધુ સૂર્યકિરણમાંથી લઈ શકો છો. એ વાતનું ધ્યાન રાખો કે તમે વિટામિનથી ભરપૂર આહાર લો. આ સ્વસ્થ જીવન માટે જરૂરી છે. ભોજનમાં વિટામિન ડીથી ભરપૂર ચીજોનો સમાવેશ કરો છો.


No comments:

Pages