Latest

Saturday, November 17, 2018

દીપવીરથી નારાજ નથી અનિલ કપૂર, કપલને આ રીતે આપી શુભેચ્છાઓ

ઈટાલીમાં થયા લગ્ન

રણવીર સિંહ અને દીપિકા પદુકોણના લગ્ન રંગેચંગે ઈટલીના લેક કોમોમાં સંપન્ન થયાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવો ગણગણાટ હતો કે બોલિવૂડના સ્ટાર અનિલ કપૂરને મેરેજમાં આમંત્રણ ન મળવાથી તે નારાજ છે. જોકે, હવે અનિલ કપૂરે શુભેચ્છા આપીને આ વાતનો છેદ ઉડાડ્યો છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

આ રીતે આપી શુભેચ્છાઓ


અનિલ કપૂરે ટ્વિટ કરીને લખ્યું કે,’આ તસવીરમાં ગુડ લુકિંગ કપલ જોવા મળી રહ્યું છે. તમારા ચહેરા પરથી ક્યારેય મુસ્કાન દુર ન થાય. તમને જિંદગીભરની ખુશીઓ, પ્રેમ મળે. તમને આગળ ખૂબ પ્રેમ મળવાનો છે.’

બન્ને વચ્ચે સારુ બોન્ડિંગ


નોંધનીય છે કે રણવીર સિંહ અને અનિલ કપૂર દુરના સંબંધી છે. આ બન્ને વચ્ચે તેમજ દીપિકા સાથે પણ અનિલ કપૂરનું સારુ બોન્ડિંગ છે. સોનમ કપૂરના લગ્નમાં રણવીરે ખૂબ જ એન્જોય કર્યુ હતું. આથી જ્યારે દીપવીરના લગ્નમાં અનિલની ફેમિલીને આમંત્રણ ન મળ્યું ત્યારે સોશિયલ મીડિયા પર નારાજગીની ચર્ચા હતી.

સોનમ કપૂરે પણ આપી શુભેચ્છાઓ


નોંધનીય છે કે રણવીર સિંહ સોનમ કપૂરનો કઝિન થાય છે. સોનમ કપૂર અને રણવીર વચ્ચે પણ સારુ બોન્ડ છે. સોનમ કપૂરના લગ્નમાં રણવીર સિંહે ખૂબ જ ધમાકેદાર ડાન્સ કર્યો હતો.

અર્જુન કપૂરે ગીત લખી આપી શુભેચ્છા




No comments:

Pages