Latest

Friday, November 23, 2018

ખૂબ જ દુર્લભ છે લક્ષ્મીજીની આ તસવીર, તેની પૂજા કરવાથી ખૂલી જશે કિસ્મતના દરવાજા

શુક્રવારે લક્ષ્મીજીની પૂજાઃ


વૈદિક જ્યોતિષ અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ એક ભગવાનને સમર્પિત કરવામાં આવ્યો છે. શુક્રવારે લક્ષ્મીપૂજાનું ખાસ મહત્વ છે. આ દિવસે વિષ્ણુ મંદિર કે લક્ષ્મી મંદિર જવાથી લાભ થાય છે. આ ઉપરાંત મંત્રજાપ સાથે વિધિવત્ રીતે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીને ખાસ પ્રસાદ ચડાવવાનું મહત્વ છે.

શાસ્ત્રમાં શું કહેવાયું છે?


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે ભગવાનના જે સ્વરૂપની પૂજા કરો છો તે મહત્વનું છે. વિશેષ અવસર કે તહેવાર પર ભગવાનની ખાસ પ્રતિમાઓના પૂજનનું મહાત્મ્ય છે. આજે અમે મહાલક્ષ્મીજીની આવી જ એક ખાસ તસવીર બતાવવા જઈ રહ્યા છે. શાસ્ત્રાનુસાર જો કોઈ વ્યક્તિને સતત પૈસાનું નુકસાન થઈ રહ્યું છે તો તેણે આ તસવીરની પૂજા કરવી જોઈએ. આવુ કરવાથી તે નુકસાનમાંથી ઉગરી જાય છે અને તેને આર્થિક લાભ થાય છે. વેપાર-વ્યવસાય, નોકરીમાં તેનો વિકાસ થાય છે.

સંપત્તિમાં થાય છે ઉત્તરોત્તર વધારોઃ


મહાલક્ષ્મીજીની જે તસવીરની અહીં વાત થાય છે તે ખૂબ જ દુર્લભ છે. શાસ્ત્રીય માન્યતા અનુસાર તેની પૂજા કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને આર્થિક લાભના દરવાજા ખૂલી જાય છે. જો વ્યક્તિ ઘરે કે વેપારના સ્થળે આ તસવીરની પૂજા કરે તો સંપત્તિ દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી વધે છે.

આ તસવીરની વિશેષતાઃ


મહાલક્ષ્મીની આ તસવીરમાં કામધેનુ માતા પણ છે. માતા લક્ષ્મી કલ્પતરુ વૃક્ષ નીચે કમળના આસન પર સોનાનું કળશ લઈને બિરાજમાન છે. તેમની પાછળ કામધેનુ સામે તરફ જોતી દેખાય છે. સાથે જ ચાર સફેદ હાથી સુવર્ણ કળશમાં જળ ભરીને માતાજીને સ્નાન કરાવી રહ્યા છે.

વિશેષ શાસ્ત્રીય ઉપાયઃ


શુક્રવારને લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે. પરંતુ વિષ્ણુપ્રિયા હોવાને કારણે ધનધાન્યની પ્રાપ્તિ માટે ગુરુવારે પણ ગાયના ઘીમાં હળદર મિક્સ કરી તેનો દીવો કરવો જોઈએ. તે બાદ ચંદનની સુગંધ વાળી અગરબત્તી પ્રગટાવી કેસર ચડાવવું. પીળા ફૂલ ચઢાવીને માતાજીને ગોળ-ચણાનો ભોગ લગાવવો. હવે હળદર મિશ્રિત જળ ચઢાવી પૂજાનું સમાપન કરવું અને માતા લક્ષ્મી તથા કામધેનૂ પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરવી. પૂજાના અંતમાં નીચે જણાવેલા લક્ષ્મી મંત્ર અને કામધેનુ મંત્રનો જાપ કરવો.

મંત્રઃ


श्रीं कमलायै नमः॥
“सर्वकामदुधे देवि सर्वतीर्थीभिषेचिनि॥
पावने सुरभि श्रेष्ठे देवि तुभ्यं नमोस्तुते॥”

આ દિવસે જાપ વધુ ફળે છેઃ


તમે દર શુક્રવારે આ મંત્રનો જાપ કરી શકો છો પરંતુ સુદના શુક્રવાર અથવા તો પૂનમે આ મંત્રના જાપથી વિશેષ લાભ મળે છે. મંત્રનો જાપ 9, 18, 33, 54, 72, 108 અને 1008ની સંખ્યામાં કરવો જોઈએ.


No comments:

Pages