સાવ અલગ છે આ આદિવાસીઓઃ

આંદામાનના પ્રતિબંધિત ટાપુ પર પહોંચેલા અમેરિકન ટૂરિસ્ટની હત્યા બાદ આંદામાનના આદિવાસીઓ અંગે અનેક વિગતો પ્રકાશમાં આવી રહી છે. આંદામાનના પ્રતિબંધિત સેન્ટિનલ ટાપુ પર રહેતા આદિવાસીઓ દુનિયાના બીજા લોકો કરતા સાવ અલગ છે.
જારવા જનજાતિ છે નામઃ

આ આદિવાસીઓને જારવા જનજાતિના નામથી ઓળખાય છે. આ લોકોને બહારની દુનિયા સાથે લેવાદેવા નથી. અહીં કોઈ વ્યક્તિ પગ મૂકે તેને જોતા સાથે જ આદિવાસીઓ મારી નાંખે છે.
દેખાવે આવા હોય છેઃ

તેમનો રંગ એકદમ કાળો અને કદ સાવ નાનુ હોય છે. આખી દુનિયામાં તેમને ધરતી પર આદિકાળની સંસ્કૃતિ ધરાવતા છેલ્લા આદિવાસી છે. આધુનિક સભ્યતા સાથે તેમને દૂર દૂરનો કોઈ સંબંધ નથી. 1990 સુધી તેમના વિષે કોઈ જાણતું પણ નહતુ.
આજે પણ નગ્ન જ ફરે છેઃ

આંદામાનની આ જનજાતિ નગ્ન અથવા તો ન બરાબર કપડામાં ફરે છે. શરીર ઢાંકવા તે પાંદડાનો ઉપયોગ પણ કરે છે.
તો પિતા બાળકને મારી નાંખે છેઃ

આ સુમદાયમાં કોઈ બાળકનો રંગ થોડો પણ સફેદ હોય તો તેના પિતા તેને બીજા સમુદાયનો માનીને તેની હત્યા કરી દે છે.
તીરથી કરે છે શિકારઃ

આજે પણ આદિવાસી તીરથી શિકાર કરીને પેટ ભરે છે. તે બહારના લોકોને જોય તો તીર કામટાથી તેને મારી નાંખે છે.
પ્રવાસીઓ કરે છે હેરાનઃ

થોડા વખત પહેલા બ્રિટનના અખબાર ધ ઓબ્ઝર્વર દ્વારા એક વીડિયો રીલીઝ કરાયો હતો. તેમાં આદિવાસી મહિલાઓને પ્રવાસીઓ સામે નાચતા દર્શાવાઈ હતી. તેમાં પોલીસનો પણ એક અધિકારી હતો. માનવ અધિકાર સંગઠનોએ તેની સામે અવાજ ઊઠાવ્યો હતો.
એજન્ટો આ ટાપુ પર લઈ જાય છેઃ

એવી પણ ખબર છે કે સ્થાનિક ટૂર એજન્ટ પર્યટકોને પૈસા લઈને આ જનજાતિઓ બતાવવા લઈ જાય છે. આ લોકોને તંબાકુ અને શરાબની લાલચ અપાઈ હોવાના કિસ્સા પણ બહાર આવ્યા છે.
No comments:
New comments are not allowed.