Latest

Friday, November 16, 2018

આ ટીમે શોધ્યો વિરાટ-રોહિતનો તોડ, આ રીતે કરશે આઉટ

વિરાટ-રોહિત માટે ન્યૂઝીલેન્ડ પૂર્વ કોચે ટીમને ચેતવી


નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જાન્યુઆરીમાં થનારી વન-ડે અને ટી20 સીરીઝ પહેલા કીવી ટીમના પૂર્વ કોચ માઈક હેસને કહ્યું છે કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને શરૂઆતના 10-15 બોલમાં જ આઉટ કરવો પડશે. આ ન્યૂઝીલેન્ડ ટીમ માટે ખૂબ જરૂરી રહેશે. આની સાથે જ હેસન ન્યૂઝીલેન્ડ ન્યૂઝીલેન્ડને ભારતીય ઓપનર રોહિત શર્મા અંગે પણ ચેતવ્યું. હેસને કહ્યું કે, તેમની ટીમે આ બંને ખેલાડીઓ માટે પ્લાન બનાવવા પડશે.
Whatsapp પર ન્યૂઝ આપનારી પહેલી ગુજરાતી વેબસાઈટ 

શરૂઆતમાં લેવી પડશે બંનેની વિકેટ


ક્રિકઈન્ફો સાથેની વાતચીતમાં હેસને કહ્યું કે, ‘આ બંને ખેલાડીઓ ભારત માટે ખૂબ મહત્વના છે. જો વિરાટને પોતાની ઈનિંગની શરૂઆતના 10-15 બોલ રમવામાં થોડું રિસ્ક ઉઠાવવું પડે તો તમને ચાન્સ મળી શકે છે.’ રોહિત વિશે વાત કરતા તેમણે કહ્યું કે, તે ઘણા સમયથી શાનદાર ફોર્મમાં છે. રોહિતની એક ખાસ વાત એ પણ છે કે, તે એકવાર સેટ થયા બાદ ગેમને પોતાના હિસાબથી ચલાવે છે. તમારે નવા બોલ સાથે સ્વિંગ અથવા વેરિએશન દ્વારા રોહિત પર એટેક કરવા પર ફોકસ કરવું પડશે. કંઈપણ કરીને તમારે તેને આઉટ કરવો પડશે.

‘કિવી ટીમે ઘણાા ફેક્ટર્સ પર કામ કરવું પડશે’


ન્યૂઝીલેન્ડની ટીમના કૉમ્બિનેશન અંગે વાત કરતા પૂર્વ કોચે કહ્યું કે, ટીમને કેટલાક ક્ષેત્રોમાં કામ કરવાની જરૂર છે. ઓલરાઉન્ડર્સથી લઈને બોલર્સ સુધી, અમારે ટીમને સેટ કરવા માટે ઘણા ફેક્ટર્સ પર કામ કરવાની જરૂર છે.

ન્યૂઝીલેન્ડ સાથે પાંચ વન-ડે, 3 ટી20 રમશે ભારત


જણાવી દઈએ કે, ભારત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખતમ કરીને ન્યૂઝીલેન્ડ રવાના થશે. ત્યાં વિરાટની ટીમ પાંચ વન-ડે અને ત્રણ ટી20 મેચો રમશે. બંને ટીમો પહેલા 23 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન વન-ડે અને બાદમાં 6થી 10 ફેબ્રુઆરી દરમિયાન ટી20 સીરીઝ રમશે.


No comments:

Pages