અભિષેકે કર્યા ખુલાસાઃ

ઐશ્વર્યા રાય એક સારી માતા હોવાની સાથેસાથે પ્રેમાળ પત્ની અને પુત્રવધુ પણ છે. અભિષેકે હંમેશાથી કહ્યું છે કે તેને નવાઈ લાગે છે કે એશ કામ સાથે આટલુ બધુ મેનેજ કેવી રીતે કરે છે. તાજેતરમાં જ શૂજિત સિરકારના લેડીઝ સ્ટડી ગૃપ સેશનમાં મૂડ્સ એન્ડ મોમેન્ટ્સ ઑફ અભિષેક બચ્ચન સેક્શનમાં અભિષેકે તેની પત્ની ઐશ્વર્યા, માતા જયા બચ્ચન, પત્ની કરતા ઓછુ મહેનતાણુ મળવા અંગે, આરાધ્યા અંગે તથા #MeToo અંગે દિલ ખોલીને વાત મૂકી હતી.
જયા બચ્ચને મૂકી શરત?

અભિષેકે એશ અને જયા વચ્ચેની એક ફની શરત અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું, “મને ફળ જરાય નથી ભાવતા. અને હું બોર્ડિંગ સ્કૂલમાં મોટો થયો છું એટલે મને શાકભાજી પણ ખાસ નથી ભાવતા. મને લાગે છે કે મારા લગ્ન પહેલા મારી મમ્મીએ મારી પત્ની સામે શરત મૂકી હશે કે તેણે મને શાકભાજી ખવડાવવા પડશે. આથી તે મને બ્રોકલી ખવડાવે છે. આજે જ બપોરે એશે મને લંચમાં બ્રોકલી ખવડાવી હતી.”
એશ કરતા ઓછુ મહેનતાણુ મળે છેઃ

સ્ત્રી પુરુષના મહેનતાણામાં આભ જમીનનો અંતર હોય છે તે અંગે વાત કરતા અભિષેકે જણાવ્યું કે મેં મારી પત્ની સાથે નવ ફિલ્મમાં કામ કર્યું છે અને આઠમાં મને તેના કરતા ઓછું મહેનતાણુ મળ્યુ છે. તેણે વધુમાં જણાવ્યું કે પિકુ ફિલ્મમાં સૌથી વધુ મહેનતાણુ દીપિકાને મળ્યું હતું. આથી હવે અભિનેત્રીઓને પણ હીરો જેટલા જ મહેનતાણા મળે છે.
આરાધ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવશે તો?

અભિષેકે કહ્યું, “જ્યારે જાતીય સતામણીની વાત આવે ત્યારે મને કોઈ પૂછે છે કે જો આરાધ્યા એક્ટ્રેસ બનશે તો મને ડર લાગશે? તો હું જવાબ આપુ છું કે મને ડર નહિ લાગે કારણ કે તેને પોતાની સંભાળ રાખતા આવડતી હશે.” #MeToo અંગે વાત કરતા અભિષેકે જણાવ્યું કે પુરુષનું આ પ્રકારનું વર્તન પેઢીઓથી ચાલતુ આવ્યું છે. હવે સમય પાકી ગયો છે કે આપણે તેના વિષે ફરીથી વિચાર કરીએ.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2PngWmG
No comments:
Post a Comment