Latest

Sunday, November 11, 2018

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો



66524244

પ્રશાંત મહેશ

મુંબઈ: ડાયનેમિક એસેટ એલોકેશન અથવા બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ફંડ મેનેજર્સે સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં તેમની ઇક્વિટી માટેની ફાળવણીમાં ધરખમ વધારો કર્યો છે. નિફ્ટી ચાલુ કેલેન્ડર વર્ષના સૌથી નીચા 10,005ના સ્તરે પટકાયા બાદ આ ફંડ મેનેજર્સે આક્રમક રોકાણ કર્યું હતું. ડાયનેમિક એસેટ એલોકેશન ફંડના ફંડ મેનેજર્સ ઇક્વિટી કે ડેટ માટે ફાળવણીમાં મોટા પાયે ફેરફાર કરી શકતા હોય છે.

ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ્સના સીઆઇઓ એસ નરેન જણાવે છે કે, “બે મહિના પહેલાં રોકાણકારો બજારના ઊંચા વેલ્યુએશનથી ચિંતિત હતા. હવે આવી સમસ્યા નથી. બજાર હાલમાં સસ્તું કે મોંઘું નથી. બજારની હાલની વોલેટિલિટી રોકાણ માટેનો વધુ સારો સમય બની શકે છે.” ફંડ મેનેજર્સ માને છે કે ક્રૂ઼ડ ઓઇલના વૈશ્વિક ભાવમાં વધારો, વ્યાજદરમાં વધારો અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે બજારમાં આવેલું કરેક્શન ઇક્વિટી માટેની ફાળવણીમાં વધારો કરવાનો સારો સમય હતો.

મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર ગૌતમ સિંહા રોય જણાવે છે કે, “નિફ્ટીમાં 10થી 15 ટકાનું કરેક્શન અને કેટલાક શેરોમાં તીવ્ર ઘટાડાથી છેલ્લાં દોઢ વર્ષની સરખામણીમાં વેલ્યુએશન આકર્ષક બન્યાં છે. તેનાથી મોટા ભાગનાં ફંડ્સ માટેના ઇક્વિટી વેલ્યુએશનમાં વધારો થયો છે.”

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફંડ મેનેજર્સે શેરબજારમાં રોકાણમાં કાપ મૂક્યો હતો. બજારનાં ઊંચાં વેલ્યુએશન, વૈશ્વિક અનિશ્ચિતતા અને લોકસભાની આગામી ચૂંટણીથી ફંડ મેનેજર્સ બજારના ભાવિ અંગે ચિંતિત બન્યા હતા.

આશરે ₹28,000 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ સાથેનું દેશનું સૌથી મોટું ફંડ ICICI પ્રુડેન્શિયલ બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડમાં ઇક્વિટી હોલ્ડિંગ ઓક્ટોબરમાં વધીને 53.22 ટકા થયું હતું, જે સપ્ટેમ્બરના અંતે 39.68 ટકા હતું. તેનું ઇક્વિટી એલોકેશન ઓગસ્ટમાં 30.13 ટકા જેટલું નીચું હતું. બજારના બૂક વેલ્યૂને આધારે આ ફંડના ફંડ મેનેજર બજારમાં 30થી 80 ટકાની વચ્ચે રોકાણ કરી શકે છે. તેઓ દૈનિક ધોરણે તેમાં ફેરફાર કરી શકે છે.

મોતીલાલ ઓસ્વાલ ડાયનેમિક ફંડનું ઇક્વિટી હોલ્ડિંગ ઓક્ટોબરમાં વધીને 50 ટકા થયું હતું, જે સપ્ટેમ્બરના અંતે 43 ટકા હતું. એડલવાઇઝ બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સનું ઇક્વિટી હોલ્ડિંગ ઓક્ટોબર 2018ના છેલ્લા સપ્તાહમાં વધીને 50 ટકા થયું હતું.

રિલાયન્સ બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડનું ઇક્વિટી હોલ્ડિંગ ઓક્ટોબરમાં વધીને 43.6 ટકા થયું હતું, જે સપ્ટેમ્બરના અંતે 42.1 ટકા હતું. મોટા ભાગના બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સ ઇક્વિટીમાં 30થી 80 ટકા સુધી રોકાણનો મેન્ડેડ ધરાવતા હોય છે. ફંડ મેનેજર્સ શેરબજાર અંગે ચિંતિત હોય ત્યારે તેમની ફાળવણી નીચા સ્તરે આવી જાય છે.

]]>



from Page Array – I Am Gujarat https://ift.tt/2RL9NJF

No comments:

Post a Comment

Pages