Latest

Wednesday, November 14, 2018

એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ્સને હવે મિકેનિકલ, ઈલેક્ટ્રીકલમાં નથી રહ્યો કોઈ રસ!

પોપ્યુલર બ્રાંચના વળતા પાણી

ભરત યાજ્ઞિક, અમદાવાદ: એક સમય હતો કે જ્યારે મિકેનિકલ કે પછી ઈલેક્ટ્રીકલ જેવી એન્જિનિયરિંગની બ્રાંચમાં એડમિશન લેવા સ્ટૂડન્ટ્સ પડાપડી કરતા, અને ભણવાનું પૂરું થતાં જ તેમને તરત નોકરી પણ મળી જતી. જોકે, હવે બદલાતા જમાના સાથે એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ્સની ચોઈસ પણ બદલાઈ રહી છે, અને એક સમયની જાણીતી એન્જિનિયરિંગ બ્રાંચમાં હવે સ્ટૂડન્ટ્સ ઘટી રહ્યા છે.

પેકેજમાં પણ મોટો તફાવત

2012માં એલડી એન્જિનિયરિંગમાં એડમિશન લેનારા અજય શાહના જણાવ્યા અનુસાર, તે વખતે મિકેનિકલનો ખાસ્સો ક્રેઝ હોવા છતાં અંગત રસને કારણે તેમણે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. ભણવાનું પૂરું થયું ત્યારે કમ્પ્યુટર એન્જિ.ના સ્ટૂડન્ટ્સને એવરેજ 4.5 લાખનું પેકેજ ઓફર થયું હતું, જ્યારે મિકેનિકલના સ્ટૂડન્ટ્સને 3.5 લાખના એવરેજ પેકેજ ઓફર થયા હતા.

માર્કેટ ડિમાન્ડને આધારે અભ્યાસ

અજય શાહ જેવા જ બારમું ધોરણ પાસ કરી એન્જિનિયરિંગ કરવા આવતા હજારો સ્ટૂડન્ટ્સ હવે કોર્સ અને કોલેજનું બેસ્ટ કોમ્બિનેશન સેટ કરતા થઈ ગયા છે. પોતાના રસ ઉપરાંત માર્કેટ ડિમાન્ડ અને ફાઈનાન્શિયલ કન્ડિશનને આધારે પણ સ્ટૂડન્ટ્સ એન્જિનિયરિંગની બ્રાંચ પસંદ કરે છે, પરંતુ સવાલ એ છે કે શું ખરેખર એન્જિનિયરિંગના સમીકરણો બદલાઈ રહ્યા છે?

આ વર્ષે 52 ટકા બેઠકો ખાલી રહી

એડમિશન કમિટિના રિપોર્ટ અનુસાર, 2018-19માં રાજ્યની વિવિધ એન્જિ. કોલેજોમાં 52 ટકા સીટો ખાલી રહી હતી. પાંચ વર્ષ પહેલા આ પ્રમાણ 29 ટકા હતું. છેલ્લા પાંચ વર્ષમાં મિકેનિકલ એન્જિ.માં 2000 સીટો ઘટી છે, ઈલેક્ટ્રીકલમાં 1200 જ્યારે સિવિલમાં 836 સીટોનો ઘટાડો થયો છે. જ્યારે કમ્પ્યુટર એન્જિ.માં 1600 અને આઈટીમાં 849 સીટો ઉમેરાઈ છે.

નવી બ્રાંચોમાં વધ્યો છે રસ

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, કેટલાક કોર્સનો ક્રેઝ વધ્યો છે, જ્યારે મિકેલનિકલ, ઈલેક્ટ્રીકલ જેવી એક સમયની પોપ્યુલર બ્રાંચમાં હવે રસ ઘટ્યો છે. સ્ટૂડન્ટ્સ હે પ્લાસ્ટિક, પેટ્રોલિયમ, રબર, ટેક્સટાઈલ, એનવાયર્મેન્ટ, પાવર, એરોનોટિક્સ, માઈનિંગ, મેન્યુફેક્ચરિંગ અને મરીન એન્જિનિયરિંગમાં પણ રસ લેતા થયા છે. જોકે, તેની બેઠકોનું પ્રમાણ ઘણું ઓછું છે.

સીટો વધી, પણ ક્વોલિટી બગડી

જો 12માં ધોરણમાં સારા ટકા આવ્યા હોય તો સ્ટૂડન્ટ્સ પાસે કોલેજ અને બ્રાંચ પસંદ કરવાનો વધુ અવકાશ રહે છે. જો પરિણામ ઓછું આવ્યું હોય તો પસંદગી મર્યાદિત બને છે. તજજ્ઞો એન્જિનિયરિંગના એજ્યુકેશનની ક્વોલિટી પર પણ હવે સવાલ ઉઠાવી રહ્યા છે. જે રીતે સીટો વધી છે, તેટલા પ્રમાણમાં ક્વોલિટી વધવાને બદલે ઘટી છે. જેનું એક મોટું કારણ અપેક્ષા અનુસાર કાબેલિયત ન ધરાવતો ટિચિંગ સ્ટાફ પણ છે. (પાર્થ શાસ્ત્રીના ઈનપુટ સાથે)



from Page Array – I Am Gujarat https://ift.tt/2OHCaGs

No comments:

Post a Comment

Pages