રોયલ કલ્ચર માટે જાણીતો છે ઉમ્મેદ ભવન પેલેસ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન તારીખ 2 ડિસેમ્બર, 2018ના રોજ રાજસ્થાનના જોધપુર સ્થિત ઉમ્મેદ ભવન પેલેસમાં થવાના છે. પ્રિયંકા અને નિક તેમના પરિવારની સાથે જોધપુર સ્થિત આ ઉમ્મેદપુર ભવન પહોંચી ચૂક્યા છે. આ એક ભવ્ય લગ્ન સમારંભ છે અને લગ્નની તમામ વિધિ પણ ઉમ્મેદ ભવનમાં જ થશે. ઉમ્મેદ ભવન પેલેસ તેના રોયલ કલ્ચર અને ઈતિહાસ માટે ખાસ જાણીતો છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
દુનિયાની બેસ્ટ હોટેલનો એવોર્ડ મળી ચૂક્યો છે

હોટેલ ઉમ્મેદ ભવન પેલેસને દુનિયાની બેસ્ટ હોટેલનો એવોર્ડ મળી ચૂક્યો છે. વર્ષ 1943માં તૈયાર થયેલા આ ઉમ્મેદ ભવન વિસ્તાર 26 એકર કરતાં પણ વધારે છે. આ પેલેસના એક ભાગમાં મારવાડના પૂર્વ મહારાજ ગજસિંહ તેમના પરિવાર સાથે રહેતા હતા. જ્યારે આ પેલેસનો એક ભાગ તાજ ગ્રૂપ હોટેલ ઉમ્મેદ પેલેસ સંચાલિત કરે છે.
લગ્ન માટેનું એક દિવસનું ભાડું 43 લાખ રૂપિયા

એક મીડિયા રિપોર્ટ અનુસાર તાજ ઉમ્મેદ પેલેસનું એક દિવસનું ભાડું લગભગ 60,000 ડોલર છે. એટલે કે પ્રિયંકા-નિક આ જગ્યા માટે એક દિવસના લગભગ 43 લાખ રૂપિયાનો ખર્ચો કરશે. આ મહેલમાં કુલ 347 રૂમ આવેલા છે.
આ મહેલની સાથે જોડાયેલો છે એક શ્રાપ

આ આલીશાન મહેલના નિર્માણની પાછળ એક શ્રાપ જોડાયેલો છે. એવું કહેવાય છે કે એક સંતે એવો શ્રાપ આપ્યો હતો કે રાઠોડ વંશને દુષ્કાળનો સામનો કરવો પડશે. આ શ્રાપના કારણે વર્ષ 1920થી સતત ત્રણ વર્ષ જોધપુરમાં દુષ્કાળની સ્થિતિ જોવા મળી. આ સ્થિતિમાંથી જનતાને બહાર લાવવા માટે આ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું જેના કારણે લોકોને રોજગારી મળી અને તેઓના જીવ પણ બચી ગયા. આ મહેલનું નિર્માણ થતા 16 વર્ષ (વર્ષ 1928થી 1943) લાગ્યા હતા.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2SnhuWP
No comments:
Post a Comment