Latest

Sunday, November 18, 2018

વિદ્યાર્થીઓ ઈચ્છા થાય ત્યારે પરીક્ષા આપી શકશે, આ યુનિએ શરૂ કર્યો નવો પ્રોગ્રામ

ATKT લાવનારા વિદ્યાર્થીઓને મળશે ખાસ તક

આણંદઃ સરદાર પટેલ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખતા નવા વર્ષ પર ખાસ ગિફ્ટ આપી છે. BScમાં અભ્યાસ કરી રહેલા અને પાસ ન થનારા વિદ્યાર્થી માટે યુનિવર્સિટી ખાસ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. જે મુજબ વિદ્યાર્થીઓને પોતાની ઈચ્છા અનુસાર પરીક્ષા આપવાની તક મળશે. આ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કરનારી SP યુનિવર્સિટી પહેલી હશે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

સરદાર પટેલ યુનિએ શરૂ કર્યો નવો પ્રોગ્રામ

આ પહેલા યુજીસી દ્વારા દેશભરની યુનિવર્સિટીઓને પરીક્ષા ફોર્મેટમાં સુધારો કરવા માટે સૂચન કરાયું હતું. ત્યારે SP યુનિવર્સિટીએ પ્રશ્ન બેંક તૈયાર કરવા માટે દેશભરની યુનિમાંથી BScના પ્રશ્નપત્રો એકઠા કરવાનું મોટું કાર્ય શરૂ કરી દીધું છે. આ પ્રોગ્રામ મુજબ વિદ્યાર્થી કે વિદ્યાર્થિની પોતાની ATKTને ક્લિયર કરવા માટે એક મહિનો પસંદ કરશે, જે બાદ સોફ્ટવેર આવા વિદ્યાર્થીઓ માટે એક પ્રશ્નપત્ર બહાર પાડશે. આ નવા પ્રોગ્રામને શનિવારે યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યોએ પણ સ્વીકાર્યું હતું.

કોઈપણ મહિને પરીક્ષા આપી શકશે વિદ્યાર્થીઓ

SP યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર શિરિષ કુલકર્ણીએ જણાવ્યું કે, હાલમાં અમે આ પાઈલોટ પ્રોજેક્ટને વર્ષ 2014-15 અને 2015-16ના BSc વિદ્યાર્થીઓ માટે શરૂ કરી રહ્યા છીએ. કારણ કે તેમણે મળેલા ઈન્ટરનલ માર્ક્સ અને પ્રેક્ટિકલ માર્ક્સનો ડેટા ઓનલાઈન સરળતાથી ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે, 15મી ડિસેમ્બર બાદથી અમે જે વિદ્યાર્થીઓ પોતાની ATKT ક્લિયર કરી શક્યા નથી તેમના માટે આ પ્રોગ્રામ શરૂ કરીશું. પહેલી પરીક્ષા જાન્યુઆરીમાં યોજાશે. વધુમાં તેમણે કહ્યું, યુનિવર્સિટી સાથે સંકળાયેલી 149 સાયન્સ કોલેજોને તૈયારી માટેના ક્લાસ લેવા સૂચન કરાયું છે, જેથી વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબના મહિનામાં પરીક્ષા આપી શકે. અમે દર મહિને પરીક્ષાનું આયોજન કરીશું. જો તેમાં સફળતા મળશે તો અમે સતત પરીક્ષામાં વધારો કરતા રહીશું.

કોમ્પ્યુટર સિસ્ટમ તૈયાર કરશે પ્રશ્નપત્ર

યુનિવર્સિટીની સિસ્ટમ દ્વારા કઢાયેલા પ્રશ્નપત્રોમાં મુશ્કેલીનું લેવલ A,B,C અને D એમ ચાર કેટેગરીમાં રાખવામાં આવશે અને તેમના જવાબની પેર્ટન 1,2,3 અને 4 કેટેગરીમાં રહેશે. (ઓબ્જેક્ટિવ ટાઈપ, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો) શિક્ષકે માત્ર કોમ્પ્યુટર સિસ્ટમને કમાન્ડ અને મુશ્કેલીનું લેવલ સિલેક્ટ કરવાનું રહેશે. અને સિસ્ટમ આપમેળે પ્રશ્નપત્ર બનાવીને આપી દેશે.

વિદ્યાર્થીઓના બેસવા માટે યુનિએ કરી વ્યવસ્થા

હાલમાં યુનિવર્સિટીના સેન્ટ્રલાઈઝ્ડ પરીક્ષાકેન્દ્રમાં એક સાથે 2800 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. જોકે આવનારા સમયમાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે યુનિ. દ્વારા બાદ 3500 વિદ્યાર્થીઓના બેસનાની વ્યવસ્થા હાલમાં કરાઈ રહી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2QQXOKp

No comments:

Post a Comment

Pages