બાળકો તીરકામઠા લઈ સ્કૂલે જાય છે

તમારા બાળકો સ્કૂલે જતી વખતે દફતર અને પાણીની બોટલ સાથે લઈને જતા હશે ને? પરંતુ ઝારખંડના ચાકુલિયાના પોછપાની ગામના બાળકો દફતર અને પાણી સાથે તીરકામઠું પણ લઈને જાય છે. એવું કેમ? હકીકતે મામલો ગંભીર છે. આ માસૂમો પોતાના જીવનું રક્ષણ કરવા માટે તીરકામઠાં સાથે રાખે છે. નક્સલિઓથી બચવા માટે તીરકામઠા લઈને જાય છે.
અમારા ન્યૂઝ WhatsApp પર વાંચવા અહીં ક્લિક કરો
જંગલની વચ્ચેથી પસાર થાય છે સ્કૂલનો રસ્તો

પોછપાની ગામના બાળકોની સ્કૂલ જંગલની બીજી બાજુ છે. એટલે તેમણે સ્કૂલે પહોંચવા માટે જંગલમાં થઈને પસાર થવું પડે છે. રિપોર્ટ પ્રમાણે, જંગલ નક્સલીઓના તાબા હેઠળ છે. માટે બાળકોને સુરક્ષા માટે તીરકામઠા સાથે રાખવા પડે છે. જરા પણ અવાજ ન થાય તે માટે બાળકો બિલ્લી પગલે ત્યાંથી પસાર થઈ જાય છે.
ભય હેઠળ ભણવા મજબૂર
#Jharkhand: Children of naxal affected Chakulia's Pochpani village carry bow & arrows to school to protect themselves from Naxals. Local says, "The children have to pass through forest area where a number of naxals have been spotted." pic.twitter.com/TJJlSRsTxG
— ANI (@ANI) November 12, 2018
મીડિયા રિપોર્ટ પ્રમાણે, નક્સલ પ્રભાવિત આ વિસ્તારમાં બાળકો ભણવા માટે પોતાની જિંદગી જોખમમાં મૂકે છે. ગામ લોકોનું કહેવું છે કે, બાળકોને ભણવા માટે જંગલ પાર કરવું પડે છે અને ઘણી ભયભીત કરતી ઘટનાઓ ઘટી ચૂકી છે. એટલે સાવધાની રાખવી જરૂરી છે. તો નક્સલીઓના ડરના કારણે કેટલાક મા-બાપે પોતાના બાળકોનું ભણતર છોડાવી દીધું છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2FfeMAI
No comments:
Post a Comment