ગુરુ દોષને શાંતિ આપવાથી થશે ફાયદો

ઘણી વખત એવું જોવા મળે છે કે કુંડળીમાં ગુરુ ગ્રહ દોષના કારણે લગ્ન સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોય છે. બધું જ વ્યવસ્થિત હોય તેમ છતાં જો લગ્ન સંબંધિત કાર્યોમાં સમસ્યાઓ સર્જાતી હોય તો તેનો ઉકેલ લાવવા માટે ગુરુવારનો દિવસ શુભ છે. ગુરુ દોષને શાંતિ આપવા માટે ગુરુવારે જો તમે આ ઉપાય કરશો તો તમને સફળતા ચોક્કસ મળશે. એવા કેટલાંક ઉપાયો કે જે ગુરુવારના દિવસે કરવામાં આવે તો ગુરુ ગ્રહના દોષ દૂર થઈ જશે અને સાથે તમને ધન લાભ પણ થશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
સવારે વહેલા ઊઠીને કરો આટલું

ગુરુવારના દિવસે સવારે સ્નાન કરતી વખતે પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો અને ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો. તુલસીના છોડમાં પાણી અર્પણ કરીને તેની દીવાથી પૂજા કરવી જોઈએ.
વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ

ગુરુવારના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠવું અને સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો કરવો. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરવો જોઈએ.
શિવજીને આ પ્રસાદ ધરાવવો જોઈએ

જો તમારી કુંડળીમાં ગુરુનો દોષ હોય તો દર ગુરુવારે ચણાના લોટના લાડુ બનાવીને તેનો પ્રસાદ શિવ ભગવાનને ધરાવો. તેનાથી ખૂબ જ ફાયદો થશે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2FMGbdS
No comments:
Post a Comment