Latest

Sunday, November 11, 2018

ગીર સોમનાથઃ CM રૂપાણીના કાર્યક્રમમાં ખેડૂતે કર્યો આપઘાતનો પ્રયાસ

CM સામે ખેડૂતે કર્યો આપઘાતનો પ્રયાસ

ગીર સોમનાથઃ રવિવારે સૂત્રાપાડામાં પ્રાસલી ગામ ખાતે APMC માર્કેટયાર્ડના ઉદ્ઘાટન કાર્યક્રમમાં CM રૂપાણીની હાજરીમાં ખેડૂતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તરત જ બાજુમાં ઊભેલી પોલીસ ખેડૂતને રોકવા દોડી આવી હતી. પરંતુ દવાનો કેટલોક ભાગ પેટમાં જતા રહેતા ખેડૂતની તબિયત લથડી હતી. જેથી તેને સારવાર માટે વેરાવળની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ખેડૂતોના કાર્યક્રમમાં જ ખેડૂતને ઝેરી દવા પીવી પડી

રવિવાર સવારે સૂત્રાપાડાના પ્રાસલી ગામે CM રૂપાણીની હાજરીમાં જ એક ખેડૂતો આપઘાતનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ. APMC યાર્ડનું ઉદ્ધાટન કરીને વિજય રૂપાણી જ્યારે ખેડૂતોને સંબોધન કરવા માટે ઊભા થયા તે દરમિયાન જ ત્યાં ઉપસ્થિત એક ખેડૂતે જાહેરમાં ઝેરી દવા ગટગટાવી લીધી. આ જોઈને ખેડૂતની બાજુમાં રહેલા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઝેરી દવા પેટમાં જતી રહેતા ખેડૂતની તબિયત લથડી હતી. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલમાં સ્થિતિ સામાન્ય છે.

લાંબા સમયથી જમીનની સમસ્યાથી પરેશાન ખેડૂત

સ્થાનિક ન્યૂઝ ચેનલની જાણકારી મુજબ આ ખેડૂત કોડિનારના ડોળસા ગામનો રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે. લાંબા સમયથી તેની જમીન પર દબાણ છે. જે મુદ્દે તેણે તંત્રને અનેક ફરિયાદો કરી હતી અને જમીનના પ્રશ્નનું નિરાકરણ ન આવવા પર આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમ છતાં તંત્રએ મામલામાં કોઈ નિરાકરણ ન લાવતા અંતે તેણે ઝેરી દવા પી લીધી.

અધિકારીઓમાં મચી દોડધામ

ઉલ્લેખનીય છે કે ખેડૂતો માટે યોજાયેલા કાર્યક્રમમાં જ ખેડૂતે ઝેરી દવા પી લેતા સ્થળ પર અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. લાંબા સમયથી રાજ્યના ખેડૂતોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. પછી તે પાકના ટેકાના ભાવે ખરીદીની વાત હોય કે પૂરતું પાણી આપવાની વાત. એવામાં ખેડૂતોના આ રોષનું પરિણામ સરકારને લોકસભા ચૂંટણીમાં નુકસાન કરાવશે કે નહીં તે તો આગામી સમયમાં જ ખબર પડશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Fh0W0L

No comments:

Post a Comment

Pages