ઓસી પ્રવાસમાં ટીમને હાર્દિકની ખોટ પડશે : શાસ્ત્રી

બ્રિસ્બેન: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, મેજબાન ઓસ્ટ્રેલિયા સાથે થનારી મર્યાદિત ઓવર્સની સીરીઝમાં ટીમને ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની ખોટ વર્તાશે. હાર્દિક UAEમાં યોજાયેલા એશિયા કપમાં ઈજાગ્રસ્ત દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને ત્યારથી જ તે ટીમની બહાર છે. હાર્દિકના હોવાથી ટીમને સંતુલન મળે છે અને તે એક એક્સટ્રા બોલરની ખોટને પૂરી કરે છે.
અમારા ન્યૂઝ whatsapp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
ટીમમાં સંતુલન જાળવે છે હાર્દિક

ભારતને 21 નવેમ્બરે બ્રિસ્બેનમાં ત્રણ મેચોની ટી20 સીરીઝની પ્રથમ મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમના મુખ્ય કોચ શાસ્ત્રીએ પોતાની પહેલી પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, ‘અમને એક ખેલાડીની ખોટ સાલશે અને તે છે હાર્દિક, જે ઈજાગ્રસ્ત છે. તે બોલર અને બેટ્સમેન તરીકે ટીમમાં સંતુલન જાળવે છે, જેના કારણે અમે વધારાનો બોલર રમાડી શકીએ છીએ. મને આશા છે કે, તે જલ્દી ફિટ થઈ જશે. જો ફાસ્ટ બોલર્સ સારું પ્રદર્શન કરશે તો અમને તેની ખોટ વર્તાશે નહીં.’
ભારતીય ખેલાડીઓનો દમખમ નક્કી કરશે પરિણામ

જ્યારે શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે, શું આ વખતે ભારતીય બોલર્સ માટે સર્વશ્રેષ્ઠ તક છે? ત્યારે તેણે કહ્યું કે, આ એ બાબત પર નિર્ભર કરે છે કે, તે લાંબો સમય સુધી દમખમ જાળવી શકે છે કે નહીં. રવિએ કહ્યું કે, ‘જો ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચોના પરિણામો જુઓ તો અસલી બાબત રજૂ થતી નથી. અમુક ખૂબ જ ક્લોઝ મેચો રમાઈ અને કેટલીક અમે ખરાબ રીતે ગુમાવી, જેના કારણે અમારે અંતે સીરીઝ ગુમાવવી પડી.’
મેજબાનને નબળા નહીં માનીએ

શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયા સીરીઝમાં જીતની સંભાવનાઓ અંગે કહ્યું કે, ‘તમારે તમારી ભૂલોમાંથી શીખવું પડશે. જ્યારે તમે વિદેશ પ્રવાસ પર જાઓ ત્યારે તમે આજકાલ વિદેશ પ્રવાસ કરનારી ટીમોને જુઓ તો એવી ટીમો પૂરતી નથી જે વિદેશમાં સારું કરતી હોય.’ ઑસ્ટ્રેલિયામાં અત્યારે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર જેવા મુખ્ય બેટ્સમેનો નથી. તેમ છતા ભારતીય ટીમ મેજબાનને નબળી સમજી રહી નથી. મારું હંમેશાથી માનવું છે કે, પોતાની ધરતી પર કોઈ ટીમ નબળી હોતી નથી. ભગવાન ન કરે પણ એવું થાય કે, કોઈ ટીમ ભારત આવે અને અમારા ત્રણ-ચાર મુખ્ય ખેલાડીઓ ન રમી રહ્યાં હોય તો અમારે હેરાન થવું પડી શકે છે.’
No comments:
New comments are not allowed.