નવી દિલ્હી:દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) સાથેના વ્યવહારમાં લિક્વિડિટીની કોઈ સમસ્યા લાગતી નથી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ૧૯ નવેમ્બરના બોર્ડ બેઠક પહેલાં એસબીઆઇએ આ નિવેદન આપ્યું છે. સરકારે આરબીઆઇ સમક્ષ હાલમાં લિક્વિડિટીનો મુદ્દો ઉઠાવ્યો છે.
એસબીઆઇના ચેરમેન અરુણ કુમારે જણાવ્યું હતું કે, “તમામ એનબીએફસી રોલઓવર્સનો સવાલ છે ત્યાં સુધી તેમની પ્રતિબદ્ધતાનું પાલન કરી શકી છે. અગાઉ બેન્કે જણાવ્યું હતું કે તે ₹45,000 કરોડ સુધીની એનબીએફસીની એસેટ ખરીદી શકે છે. નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રુરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ના ચેરમેન એચ કે ભાણવાલાએ જણાવ્યું હતું કે વ્યાજદરમાં ઘટાડો થઈ રહ્યો છે, તેથી સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. તેથી હાલમાં કોઈ મોટી સમસ્યા નથી. ટૂંકા ગાળા માટે ધિરાણ લઈને લાંબા ગાળાની એસેટનું નિર્માણ કરનારી કેટલીક કંપનીઓને કારણે સમસ્યા ઊભી થઈ હતી. તેથી તે કંપનીલક્ષી છે. તે સિસ્ટેમેટિક સમસ્યા લાગતી નથી.
તેમણે જણાવ્યું હતું કે નાબાર્ડ સહિતની વિવિધ બેન્ક એનબીએફસીને સપોર્ટ કરી રહી છે. અમારી કુલ એસેટ ₹4.80 લાખ કરોડ છે, જેમાં એનબીએફસી માટેનું ₹૧૫,૦૦૦ કરોડનું ધિરાણ ઘણું ઓછું છે. કોઈ જોખમ નથી. હજુ કોઈ ડિફોલ્ટ થયું નથી. તમામ કંપનીઓ નાબાર્ડ માટેની પ્રતિબદ્ધતાનું પાલન કરી રહી છે.
]]>
from Page Array – I Am Gujarat https://ift.tt/2FCeMv9
No comments:
Post a Comment