કોંગ્રેસ હવે મારા પિતાને વચ્ચે લાવી રહી છે: PM મોદી

કોંગ્રેસ નેતા વિલાસરાવે કહ્યું કે નરેન્દ્ર મોદીના પિતા વિશે કોઈ જાણતુ નથી જ્યારે રાહુલ ગાંધીની પાછલી પેઢીઓ વિશે તમામ લોકો જાણે છે. પોતાના પિતા પર કોંગ્રેસના નેતાની ટિપ્પણીનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે મારી માતાને ગાળો આપીને કોંગ્રેસને કોઈ ફાયદો ના થયો તો હવે તેઓ મારા પિતાને ચૂંટણીમાં વચ્ચે લાવી રહ્યા છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
કોંગ્રેસે 55 વર્ષમાં કશું કર્યું નથી તો આગળ શું કરશે

પીએમ મોદીએ જનસભા દરમિયાન કહ્યું કે મારા પિતા 30 વર્ષ પહેલા જ આ દુનિયાને છોડીને જતા રહ્યા હતા, મારા પરિવારની 100 પેઢીમાં પણ કોઈને રાજનીતિ સાથે સંબંધ નથી. પણ હવે કેમ કોંગ્રેસ મારા પિતાને ચૂંટણી દરમિયાન વચ્ચે લાવી રહી છે. જે કોંગ્રેસ 55 વર્ષમાં કશું જ કરી શકી નથી તે આગળ કશું કરે તે શક્ય લાગતું નથી.
કોંગ્રેસ પાર્ટી જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે

પીએમ મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે, એટલે હવે આ રીતે જાહેરમાં ગાળાગાળી કરી રહી છે. કોંગ્રેસની ચાર પેઢી અને ચાવાળાના ચાર વર્ષ, ચાલો થઈ જાય મુકાબલો. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં તમે જે મુશ્કેલીનો સામનો કર્યો છે, તો શું હવે કોંગ્રેસની સરકારને ફરી વખત ચૂંટીને તમે તમારા બાળકોને ફરી વખત એ જ જીવન આપવા માગો છો?
from Page Array – I Am Gujarat https://ift.tt/2SaLtkr
No comments:
Post a Comment