Latest

Saturday, November 24, 2018

રામ મંદિરઃ અયોધ્યામાં શિવસેના અને VHPનો મેગા શો, કિલ્લેબંધીમાં ફેરવાયું શહેર

અયોધ્યામાં શિવસેના અને VHPના લાખો કાર્યકર્તા


અયોધ્યાઃ અયોધ્યા માટે આગામી બે દિવસો ખૂબ જ મુશ્કેલી ભર્યા રહેવાના છે. વીએચપી અને શિવસેના રામ મંદિરને લઈને મેગા શોનું આયોજન કરીને પોતાની તાકાત અને સરકાર પર પ્રેશર બનાવવાની તૈયારીમાં છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા વિવાદની સુનાવણી જાન્યુઆરી સુધી ટાળ્યા બાદથી જ હિંદુવાદી સંગઠન રામ મંદિરના મુદ્દા પર આક્રામક વલણ દર્શાવી રહ્યું છે. આ સંગઠન કેન્દ્ર સરકાર પાસેથી રામ મંદિર પર અધ્યાદેશ લાવવાની માગણી કરી રહ્યો છે. આ વચ્ચે શનિવાર અને રવિવારે થનારા કાર્યક્રમોને જોતા સંપૂર્ણ અયોધ્યા કિલ્લાબંધીમાં ફેરવાઈ ગયું છે. અર્ધસૈનિક દળોના જવાન, રાજ્યનું ગુપ્તચર વિભાગ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને શુક્રવારથી જ શહેરમાં ઉપસ્થિત છે. શહેરના આઠ ઝોન અને 16 સેક્ટર્સમાં વહેંચવામાં આવ્યું છે.શહેરમાં પીએસીની 20 કંપનીઓ, અર્ધસૈનિક દળની સાત અને રેપિટ એક્શન ફોર્સની બે કંપનીઓ તહેનાત છે.

સમગ્ર શહેરમાં 144 કલમ લાગુ


અલ્પસંખ્યક પરિવારોને અસુરક્ષાની ખબર વચ્ચે સંપૂર્ણ અયોધ્યામાં ધારા 144 લાગુ કરી દેવાઈ છે. રાજ્ય સરકારે લખનઉ ઝોનના એડીજી આશુતોષ પાંડે અને ઝાંસી રેન્જના આઈજી એસએસ બઘેલને સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવા મોકલ્યા છે.

RSSના 1 લાખ કાર્યકર્તાઓ અયોધ્યા પહોંચશે


આરએસએસના એક વરિષ્ઠ પ્રચારકે વારાણસીમાં કહ્યું, લગભગ 1322 બસો ને 1546 કાર્સમાં 80 હજાર કાર્યકર્તાઓ આવશે. 14 હજાર કાર્યકર્તા બાઈક અને લગભગ 15 હજાર કાર્યકર્તાઓ ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચશે.

શિવાસેનાએ પણ બતાવી તાકાત


શિવસેના પણ આ મેગા શોમાં પોતાની તાકાત દર્શાવશે. ઠાણેથી પાંચ ટ્રેનોમાં લગભગ 3-4 હજાર કાર્યકર્તા અયોધ્યા પહોંચી રહ્યા છે. અયોધ્યા શિવસેનાના ભગવા ઝંડાથી ભરાઈ ગયું છે. બે દિવસના આ કાર્યક્રમમાં પાર્ટીના 22 સાંસદ અને 62 ધારાસભ્યોના પણ અહીં પહોંચવાની આશા છે. આ કાર્યક્રમ માટે પાર્ટીએ એક મહિના પહેલા જ અયોધ્યા અને તેના આસપાસના વિસ્તારોમાં હોટલો બુક કરાવી લીધી હતી. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે બે અલગ-અલગ ચાર્ટર્ડ પ્લેન દ્વારા બપોરે બે વાગ્યે અયોધ્યા પહોંચશે. ઉદ્ધવ અહીં સંતોને મળશે અને સાંજે સરયુ આરતી કરશે. રવિવારે ઉદ્ધવ રામજન્મભૂમિ જશે અને ત્યાં તે જ દિવસે ત્રણ વાગ્યે મુંબઈ રવાના થઈ જશે.

રામ મંદિર મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રેશર


સૂત્રોનું કહેવું છે કે આ દિવસોમાં સંગઠનમાં લગભગ એક લાખ આરએસએસ અને એટલા જ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા રવિવારે અયોધ્યામાં એકઠા થશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ આવશે. વિશ્વ હિંદુ પરિષદના આયોજકોનું કહેવું છે કે રવિવારે આયોજન માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરી રહ્યા છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં ભાગ લઈને મેગા-શો 2019 લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની બીજેપી સરકાર પર અધ્યાદેશ લાવીને રામ મંદિર નિર્માણ માટે દબાણ નાખવાની તૈયારી છે.

3000 મુસ્લિમો પણ પહોંચશે


શહેરમાં અલ્પસંખ્યક સમુદાયના લોકો ડરેલા હોવાની વાત વચ્ચે ધારા 144 લાગૂ કરી દેવામાં આવી છે. ધર્મસભામાં મુસ્લિમો પણ પહોંચશે, જેની જવાબદારી સંઘ મુસ્લિમ રાષ્ટ્રીય મંચને સોંપાઈ છે. મંચ સાથે જોડાયેલા અને સુન્ની સોશિયલ ફોરમના સંયોજક રઈસ ખાન કહે છે કે, અમારી પાસે લગભગ 3000 લોકોની લિસ્ટ છે, જે ધર્મસભામાં શામેલ થશે. અમે બસોથી લોકોને લઈ જઈ રહ્યા છીએ. તેમાં મહિલાઓ પણ શામેલ છે.

પહેલા મંદિર પછી સરકારના પોસ્ટર


અયોધ્યા તથા ફૈઝાબાદ નગરોમાં શિવસેના ‘પહેલા મંદિર પછી સરકાર’ સ્લોગન લખીને 150થી મટા હોર્ડિંગ તથા પોસ્ટર કટઆઉટ લાગેલા છે. પોસ્ટરોમાં લખેલા સ્લોગનથી પ્રશાસન સંપૂર્ણ રીતે સાવધાન છે. તેઓ ધર્મસભાથી લઈને વીએચપી તથા સંઘ પરિવાર તૈયારી પૂરી કરવામાં વ્યસ્ત છે. 13થી વધારે પાર્કિંગ સ્થળો બનાવાયા છે. સુરક્ષા, ભોજન, વાહન તથા આવાસ સમિતિઓના પ્રભારીઓનું કહેવું છે કે ધર્મ સભાની વ્યવસ્થા હવે અંતિમ ચરણોમાં છે.


from Page Array – I Am Gujarat https://ift.tt/2S8nCSw

No comments:

Pages