Latest

Friday, December 14, 2018

2019માં મોદી પર દાવ લગાવી રહ્યા છે શેરબજારના કિંગ ઝુનઝુનવાલા

ભાજપની હારનું અર્થઘટનઃ

ભારતના અબજોપતિ ઈન્વેસ્ટર અને શેરબજારના કિંગ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાએ ગુરુવારે જણાવ્યું કે બધા જ વિધાનસભાની ચૂંટણીને ભાજપના સેટબેક તરીકે જોઈ રહ્યા છે. પરંતુ આ રિઝલ્ટ ખરેખર ભાજપની તરફેણમાં છે. તેમણે જણાવ્યું, “એ ન ભૂલો કે ભાજપ છેલ્લા 15 વર્ષથી રાજસ્થાન, મધ્યપ્રદેશમાં હતુ અને સત્તાવિરોધી લહેર છતાંય તેમણે વિશાળ પ્રમાણમાં મત મેળવ્યા.”

અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

ભાજપ પર પૈસા લગાવશેઃ

શેર બજારના બિગ બુલ ઝુનઝુનવાલાએ જણાવ્યું કે 2019ની લોકસભાની ચૂંટણીનું શું પરિણામ આવશે તે જણાવવું મુશ્કેલ છે પણ તે 2019માં ભાજપ પર પૈસા લગાવવા માંગશે. મુંબઈમાં યોજાયેલા ઈન્ડિયા ઈકોનોમી કોન્ક્લેવ 2018માં તેમણે જણાવ્યું, “ભારત એક જવાબદાર લોકશાહી છે અને શેરબજાર કોઈ પાર્ટી કે વ્યક્તિથી ઉપર છે. હું ભાજપનો ટેકેદાર છું અને હંમેશા રહીશ. જો ભાજપ નહિ જીતે તો આભ નથી તૂટી પડવાનું પણ માર્કેટ ઈચ્છે છે કે ભાજપ ફરી સત્તા પર આવે.” તેમણે એ પણ જણાવ્યું કે ભારતની અર્થવ્યવસ્થા અત્યારે ઉપર ચડી રહી છે અને મેક્રો સ્તરની કંપનીઓ ઐતિહાસિક સ્તરે છે. આ કારણે આગળના મહિનાઓમાં માર્કેટ હજુ પણ ઉપર જશે.

માર્કેટ સુધરશેઃ

ઝુનઝુનવાલાએ જણાવ્યું કે, “ડિમાન્ડ સારી છે અને મૂડી રોકાણ ફરી વધી રહ્યું છે. ક્રૂડ ઓઈલની કિંમત ઘટતા ઈન્ડિયન મેક્રો કંપનીઓનું ભવિષ્ય સારુ દેખાઈ રહ્યું છે. IL&FCનો મુદ્દો બેન્કિંગ ક્ષેત્રે કટોકટીની પરાકાષ્ટા છે. એવુ લાગે છે કે બેન્કિંગ સેક્ટરમાં જે ખરાબ મૂડી હતી તેની ઓળખ થઈ ચૂકી છે. સ્થાનિક રૂપિયો બજારમાં પાછો ફરવા તલપાપડ છે.” તેમણે એમ પણ જણાવ્યું કે GSTને કારણે દેશની ઈકોનોમીને લાંબાગાળાનો ફાયદો થશે. ઝુનઝુનવાલાએ કહ્યું, “બધા જ GSTની સમસ્યા અંગે વાત કરી રહ્યા છે પણ તેના ફાયદા વિષે કોઈ નથી બોલી રહ્યું.”

SIPનો ફ્લો વધશેઃ

દલાલ સ્ટ્રીટના વોરેન બફેટની ઉપમા મેળવી ચૂકેલા ઝુનઝુનવાલાએ જણાવ્યું કે ભારતમાં માસિક SIPનો ફ્લો વધી શકે છે અને નજીકના ભવિષ્યમાં તે ઘટે તેવુ લાગી નથી રહ્યું. “SIP ઈન્વેસ્ટર હવે માત્ર રિટર્ન જોવાને બદલે તેને PPF અને ઈન્શ્યોરન્સ જેવી બીજી પ્રોડક્ટ્સ સાથે સરખાવી રહ્યા છે. આથી તેમને 15 ટકા રિટર્ન મળશે તો પણ તે ઘણા ખુશ થઈ જશે.”

માર્કેટના ચડાવ-ઉતાર વિષે કરી ટિપ્પણીઃ

શેરબજારમાં થતા ભારે ચડાવ-ઉતાર વિષે વાત કરતા ઝુનઝુનવાલાએ જણાવ્યું, “આખા વિશ્વના માર્કેટમાં અત્યારે ચડાવઉતાર જોવા મળી રહ્યા છે. અનિશ્ચિતતા અને નર્વસનેસના કારણે બજારમાં આટલી હિલચાલ જોવા મળી રહી છે.” તેમણે કહ્યું કે મિડકેપ્સ અંગે ઉત્સુકતા ઠંડી પડતા માર્કેટ ઠંડુ પડ્યું છે. તેમણે જણાવ્યું, “મિડકેપ લાર્જ કેપ જેટલા વેલ્યુએશન પર ટ્રેડ ન કરી શકે.” તેમણે વધુમાં જણાવ્યું કે શેરબજારમાં 98 ટકા રૂપિયા બુલ્સ (મંદીમાં પણ શેર ખરીદનાર) જ બનાવે છે. જો કે તેમણે જણાવ્યું કે તેમણે હંમેશા બુલિશ બનીને જ પૈસો કમાયો છે એવું નથી.

આ લોકો ટ્રેડિંગ-ઈન્વેસ્ટમેન્ટ મેનેજ કરી શકેઃ

તેમણે તેમની ટ્રેડમાર્ક રમૂજી સ્ટાઈલમાં જણાવ્યું, “તમારી પત્ની હોય અને ગર્લફ્રેન્ડ હોય અને જો તમે બંનેને એક સાથે સારી રીતે મેનેજ કરી શકતા હોવ તો તમે ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટ બંને એક સાથે સારી રીતે મેનેજ કરી શકો છો. મેં ટૂંકાગાળામાં શેર વેચીને ઘણા રૂપિયા બનાવ્યા, ખાસ કરીને 1992માં.”



from Page Array – I Am Gujarat https://ift.tt/2UKmyXk

No comments:

Post a Comment

Pages