Latest

Wednesday, December 5, 2018

ભગવાન પર આનસ્ટાઈને લખેલા લેટરના 20.38 કરોડ ઉપજ્યા!

આઈનસ્ટાઈનના પત્રની અધધ..કિંમતમાં હરાજી


જર્મનીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈનના ઈશ્વર અને ધર્મ અંગે તેમના વિચારો પર આધારિત એક ફેમસ લેટર અમેરિકામાં હરાજી બાદ 28.90 લાખ ડૉલર (આશરે 20.38 કરોડ રૂપિયા)માં વેચી દેવાયો. આ પત્ર તેમને પોતાના અવસાનના એક વર્ષ પહેલા લખ્યો હતો.

અંદાજ કરતા બમણી કિંમતે વેચાયો પત્ર


ઑક્શન હાઉસ ક્રિસ્ટીજે એક નિવેદનમાં જણાવી કે, હરાજી પહેલા આ લેટરની કિંમત 15 લાખ ડૉલર (આશરે 10 કરોડ 58 લાખ રૂપિયા) આંકવામાં આવી હતી. બે પાનાનો આ લેટર 3 જાન્યુઆરી 1954ના રોજ 1954ના રોજ જર્મનીના દાર્શનિક એરિક ગટકાઈન્ડને લખ્યો હતો, જેમણે આઈન્સ્ટાઈનને પોતાના પુસ્તક ‘ચૂઝ લાઈફ : ધ બિબલિકલ કૉલ ટૂ રિવોલ્ટ’ની એક નકલ મોકલી હતી.

ભગવાન વિશે આવું માનતા આઈનસ્ટાઈન


આઈનસ્ટાઈને પોતાના આ લેટરમાં લખ્યું હતું કે, ‘મારા માટે ભગવાન શબ્દનો કોઈ નથી પરંતુ અભિવ્યક્તિ અને મનુષ્યની નબળાઈનું પ્રતીક છે. બાઈબલ એક પૂજનીય પુસ્ત છે પણ તે હજુય પ્રાચીન કિવદંતિઓનો સંગ્રહ છે. કોઈ એવી વ્યાખ્યા કે કોઈ રહસ્ય મહત્વ ધરાવતું નથી, જે મારા આ અભિગમમાં બદલાવ લાવી શકે.’

બારુચ સ્પિનોજાનો પણ ઉલ્લેખ કર્યો


આઈનસ્ટાઈને 17મી સદીમાં યહૂદી ડટ દાર્શનિક બારુચ સ્પિનોજાનો ઉલ્લેખ કર્યો છે. સ્પિનોજા મનુષ્યના દૈનિક જીવનમાં માનવરૂપ દેવતામાં વિશ્વાસ નહોતા ધરાવતા. જોકે, તેઓ માનતા હતા ભગવાન એક બ્રહ્માંડ ઉત્કૃષ્ઠ સુંદરતા અને વ્યવસ્થા માટે જવાબદાર છે.


No comments:

Pages