Latest

Friday, December 28, 2018

હવે અકસ્માત સમયે તરત મદદ પહોંચશે, હેલ્થ મિનિસ્ટ્રીની નવી App

માર્ગ અકસ્માતનો ભોગ બનનારને ઝડપી મદદ મળશે

નવી દિલ્હીઃ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ માટે હવે રાહ નહીં જોવી પડે. એક મોબાઈલ એપ જલ્દી તેમના સુધી એમ્બ્યુલન્સ પહોંચાડશે. મોબાઈલમાં એપ ડાઉનલોડ કરીને કોઈપણ તેની મદદ લઈ શકે છે. હેલ્થ મિનિસ્ટ્રી જલ્દી એક એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહી છે. આ એપનો કોન્સેપ્ટ એક યુવા બ્યૂરોક્રેટે તૈયાર કર્યો હતો. તેનો હેતુ માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને જલ્દી હોસ્પિટલ પહોંચાડવાનો છે, જેથી તેમને સારવાર મળી શકે.

IAS ઓફિસરે ગૂગલ સાથે મળી તૈયાર કરી એપ

દુર્ઘટના સ્થળે ફોન કરનારા વ્યક્તિનું તરત લોકેશન જાણવા અને તેને રિયલ-ટાઈમમાં નજીકની એમ્બ્યુલન્સને માહિતી આપવા 2015ની બેચના એક IAS ઓફિસરે ગૂગલ સાથે મળીને એક સોફ્ટવેર ડેવલપ કર્યું હતું. પાછલા વર્ષે યુવા બ્યૂરોક્રેટ્સ સાથે વાતચીત દરમિયાન પીએમ મોદી આ આઈડિયાથી ઘણા પ્રભાવિત થયા અને હેલ્થ મિનિસ્ટ્રીને આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે કહેવાયું.

અકસ્માતનું લોકેશન જાણી એમ્બ્યુલન્સ પહોંચશે

આ સોફ્ટવેર કોલ કરનારા વ્યક્તિનું લોકેશન પર સમય બગાડ્યા વિના જાણી લે છે અને અકસ્માત સ્થળની સૌથી નજીકની એમ્બ્યુલન્સની જાણકારી પીડિત અથવા દુર્ઘટનાની જાણકારી આપનારા વ્યક્તિને મેસેજ તરીકે મોકલી દે છે. મેસેજ મળતા જ પીડિત અથવા તેની આસપાસના લોકો તરત નજીકની એમ્બ્યુલન્સને મદદ માટે ફોન કરી શકશે. આટલું જ નહીં એપ દ્વારા મોકલાયેલા ટેક્સ્ટ મેસેજમાં એમ્બ્યુલન્સને પહોંચવામાં લાગતા સમયની પણ જાણકારી હશે. જણાવી દઈએ કે પાછલા વર્ષે 2017માં 1,46,000થી વધારે લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.

ઘાયલ વ્યક્તિ પણ એમ્બ્યુલન્સ મગાવી શકશે

પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે આ એપની મદદથી એમ્બ્યુલન્સ સુધી પહોંચવું સરળ થઈ જશે અને તેના દ્વારા વધારે એમ્બ્યુલન્સ પીડિતની મદદ માટે કામ આવી શકશે. આ એપની સૌથી ખાસ વાત હશે કે મોટાભાગના મામલામાં પીડિત પોતે જ નજીકની એમ્બ્યુલન્સને પોતાની મદદ માટે બોલાવી શકશે. આ સોફ્ટવેર દુર્ઘટના સ્થળથી કોલ સેન્ટરમાં કોલ કરશે અને આ કોલથી દુર્ઘટનાની જગ્યા અને નજીકની એમ્બ્યુલન્સ બંનેનું લોકેશન સરળતાથી ટ્રેક કરી શકાશે. કોલના તરત બાદ કોલ સેન્ટરથી કોલર નજીકની એમ્બ્યુલન્સને જાણકારી એક મેસેજ દ્વારા મોકલી દેશે. આ મેસેજથી કોલર એમ્બ્યુલન્સ માટે રિક્વેસ્ટ નાખી શકશે.

108ની સરખામણીમાં ઝડપી મદદ મળશે

પીડિતા અથવા કોલરના ઈન્ફોર્મેશન આપતા જ કોલ સેન્ટર નજીકની એમ્બ્યુલન્સને દુર્ઘટના સ્થળની જાણકારી આપતા તરત ત્યાં પહોંચવા માટે કહેશે. સાથે જ એમ્બ્યુલન્સ દુર્ઘટના સ્થળનું યોગ્ય લોકેશન એપ અથવા કોલ સેન્ટરની મદદથી એક્સેસ કરી શકશે. હાલમાં આવા મામલામાં 108 નંબરની મદદ લેવી પડતી હતી, જેમાં ઘણીવાર દુર્ઘટના બાદ મદદ મળવામાં મોડું થઈ જતું. કેટલાક મામલામાં એમ્બ્યુલન્સ યોગ્ય લોકેશન સ્થળ સુધી નહોતી પહોંચી શકતી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Sofyh7

No comments:

Post a Comment

Pages