કોંગ્રેસ જાહેર કરશે રાહુલનું નામ?

ચેન્નાઈઃ ભાજપ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નામ સાથે ચૂંટણીમાં ઉતરે છે જેથી જનતાને ખ્યાલ આવી જાય છે કે આખરે રાજ્ય કે દેશની કમાન સંભાળનારી વ્યક્તિ સક્ષમ છે કે નહીં જ્યારે ભાજપને સીધી ટક્કર આપનારા કોંગ્રેસ પક્ષમાં પ્રકારની કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી. હવે એક સવાલ એ થઈ રહ્યો છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીનું નામ જાહેર કરે તો કોંગ્રેસને સાથ આપતા પક્ષોમાં ભડકો થઈ શકે. આ અંગે ટીએમસી પાર્ટીનું એક નિવેદન સામે આવ્યું છે જેના આધારે કોંગ્રેસ કલ્પના કરી શકે છે કે કેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
કોઈ થયું સ્ટાઈલિનની વાતથી રાજી?

2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામની જાહેરાત કરનારા ડીએમકે અધ્યક્ષ એમ. કે. સ્ટાલિનના એક નાટકીય પગલાથી અન્ય વિપક્ષી દળો વચ્ચે ગરમા-ગરમી શરુ થઈ ગઈ છે. મમતા બેનરજીની પાર્ટી ટીએમસીના સ્ટાલિનના પ્રસ્તાવને જ્યાં અયોગ્ય ગણાવવામાં આવી રહ્યો છે જ્યારે એસપી અને બીએસપીએ આ વાત પર મૌન ધારણ કર્યું છે. ટીડીપીએ પણ આ મુદ્દાથી અગળા રહેવાનું પસંદ કર્યું છે.
‘વિરોધીઓમાં પડી શકે છે ભંગાણ’

નામ ન જાહેર કરવાની શરત પર ટીએમસીના એક સાંસદનું કહેવું છે કે, “અમારી પાર્ટીનું માનવું છે કે આ પ્રકારની જાહેરાતથી ખોટો સંદેશ જઈ શકે છે. વડાપ્રધાન ઉમેદવાર પર નિર્ણય લોકસભા ચૂંટણી પછી જ લેવાવો જોઈએ. સમય પહેલા કોઈ નિર્ણય લેવામાં આવે તો વિરોધી દળોમાં ભંગાણ પડી શકે છે.”
હમણાં એન્ટી ભાજપ ફ્રન્ટ બનાવવા પર ધ્યાન: TDP

સ્ટાલિન જ્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાના સંબંધમાં જાહેરાત કરી રહ્યા હતા, તે દરમિયાન મંચ પર ઉપસ્થિત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ ચુપચાપ તેમને જોઈ રહ્યા હતા. તેમની પાર્ટી ટીડીપી આ મુદ્દા પર સુરક્ષિત અંતર બનાવતા દેખાયા. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા લંકા દિનકરનું કહેવું છે, “અમારા નેતાનું સંપૂર્ણ ધ્યાન હાલ એન્ટી બીજેપી ફ્રન્ટ બનાવવા પર છે. કારણ કે ડીએમકે યુપીએ-2 સરકારનો ભાગ રહી ચુકી છે, એવામાં રાહુલ ગાંધીના સંબંધમાં તેમની જાહેરાતને અમે સમજી શકીએ છીએ. અમે આ મુદ્દા પર કશું નથી કહેવા માગતા કારણ કે હમણા અમારું ફોકસ વડાપ્રધાન ઉમેદવાર પર નથી.”
પહેલાથી કશું જ નક્કી નહોતુંઃ ડીએમકે

બીજી તરફ ડીએમકે નેતા એસ. દુરાઈમુરુગનનું કહેવું છે કે સ્ટાલિનની જાહેરાત પહેલાથી નક્કી નહોતી. બધું અચાનક જ થયું. પહેલા તો રાહુલ ગાંધીને આ કાર્યક્રમમાં જોડાવાના જ નહોતા. આમંત્રણ પત્ર પર તેમનું નામ પણ નહોતું. શું આ અંગે સ્ટાલિને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જાણકારી આપી હતી, દુરાઈમુરુગને કહ્યું, તેમને આ અંગે કશું ખબર જ નથી તેનાથી રાહુલ ગાંધી પ્રત્યે અમારો વિચાર જાહેર થાય છે.
અન્ય દળો પણ તેમનો મત રજૂ કરી શકે છેઃ કોંગ્રેસ

જ્યારે તામિલનાડુ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તિરુનાવુકારસર કહે છે, ડીએમકે દક્ષિણ ભારતની મજબૂત ક્ષેત્રીય પાર્ટી છે. દેવગૌડા પહેલાથી જ કહી ચુક્યા છે કે તેમને રાહુલ ગાંધીને વડાપ્રધાનની જવાબદારી મળે તેનાથી કોઈ વાંધો નથી. એવામાં સ્ટાલિનની જાહેરાત પછી અન્ય દળોના નેતા પણ આ સંબંધમાં પોતાનો મત રજૂ કરી શકે છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ જણાવ્યું કે તેમને સ્ટાલિનની જાહેરાતથી કોઈ આશ્ચર્ય નથી. તેમને પહેલાથી ખબર હતી કે તેઓ આ વાત માટે યોગ્ય સમય શોધી રહ્યા હતા.
from Page Array – I Am Gujarat https://ift.tt/2QAR8UF
No comments:
New comments are not allowed.