અહીં હલવો કે લાડુ નહીં ચૉકલેટની પ્રસાદી મળે છે

મંદિરોમાં સામાન્યપણે નારિયેળ, સાકર, હલવો, લાડુ વગેરેનો પ્રસાદ ચઢાવવામાં આવે છે પણ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જ્યાં ભગવવાને પ્રસાદીમાં ચૉકલેટનો ભોગ ચઢાવવામાં આવે છે. આ છે કેરળમાં આવેલું ‘થેક્કન પલાની’ સુબ્રમણ્યમસ્વામીનું મંદિર.
‘મંચ મુરગન’ને ચઢાવાય છે ચૉકલેટનો ભોગ

અસલમાં આ એક એવું મંદિર છે જ્યાં ભગવાનને પ્રસાદીમાં ચૉકલેટ ચઢાવવામાં આવે છે. શ્રદ્ધાળુ ભગવાનની પૂજા બાદ પ્રસાદ રૂપે પણ ચૉકલેટ જ આપે છે. આ મંદિર થેક્કન પલાનીના બહારી વિસ્તાર સુબ્રહમણ્યપુરમમાં સ્થિત છે. આ મંદિરમાં વિરાજમાન ભગવાનને ‘મંચ મુરગન’ના નામથી ઓળખવામાં આવે છે.
ક્યારથી શરૂ થઈ આ પરંપરા?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રદ્ધાળુઓ મંચ મુરગન, ઈશ મુરગન અને કાર્તિકેયના નામથી પ્રસિદ્ધ ભગવાન માટે ડબ્બામાં ચૉકલેટ લઈને આવે છે. જોકે, અહીં પ્રસાદમાં ચૉકલેટનું ચણલ ક્યારથી શરૂ થયું તેના વિશે કોઈ ચોક્કસ જાણકારી નથી પણ કેટલાક લોકો આનું કારણ બાળકોને માને છે.
કોણે શરૂ કરી?

આ પરંપરા વિશે કહેવામાં આવે છે કે, સૌથી પહેલા કેટલાક બાળકોએ બાળ મુરગનને ચૉકલેટ ચઢાવી હતી. બાદમાં અન્ય શ્રદ્ધાળુઓ પણ પ્રસાદીમાં ચૉકલેટ લાવવા લાગ્યા અને હવે આ એક પરંપરા બની ચૂકી છે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2ADHE09
No comments:
Post a Comment