Latest

Friday, December 14, 2018

મ્યુઝિક થેરાપી’ની સલાહથી સંગીત સાંભળી કોમામાંથી બાહર આવી મહિલા

કોલકાત્તામાંથી સામે આવ્યો આ કિસ્સો

કોલકાત્તાઃ જીવનમાં બીજી બધી ચીજવસ્તુઓની માફક સંગીતનું એક આગવું મહત્ત્વ હોય છે. કેટલાક લોકોને સંગીતથી થોડો વધુ લગાવ હોય છે. સંગીતને કારણે કોઈ વ્યક્તિ બીમારીમાંથી મુક્ત થયું હોય એવું સાંભળ્યું છે ખરા? આવો એક કિસ્સો કોલકાત્તામાંથી બાહર આવ્યો છે. એસએસકેએમ હોસ્પિટલમાં દાખલ એક મહિલા છેલ્લા કેટલાક દિવસોથી કોમામાં હતી. મ્યુઝિક થેરાપીથી તે કોમામાંથી બાહર આવી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો

કોણ છે આ મહિલા?

21 વર્ષીય સંગીતા દાસને એન. રાજમનું વાયોલીન સંગતી કોઈ વ્યક્તિએ દિવસમાં ત્રણ વખત સંગીત સાંભળવાની સલાહ આપી હતી. સંગીતાના પરિવારે એ વાત સ્વીકારી હતી કે, સંગીત સાંભળવાથી કોમમાંથી બાહર લાવવામાં મદદ મળે છે. પદ્મ પુરસ્કારથી સન્માનિત દિગ્ગજ વાયોલીન વાદક રાજમ પણ આ કિસ્સો સાંભળીને ચોંકી ગયા હતા. જ્યારે આ વાત રાજમને ખબર પડી ત્યારે તેણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મેં ઘણા પૈસા કમાયા છે અને ઘણા બધા એવોર્ડ પણ જીત્યા છે. ક્યારેય એવું વિચાર્યું ન હતું કે, મારું વાયોલીન વગાડવું કોઈને નવી જિંદગી આપી શકે છે. હું મારી લાગણીઓ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી.

એ દર્દીને ખાસ મળીશ

રાજમે કહ્યું હતું કે, સંગીતા જ્યારે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે ત્યારે હું તેને ખાસ મળીશ અને એ તમામ ડૉક્ટરોને પણ મળીશ જેને મ્યુઝિક થેરાપી અંગે સલાહ આપી. જોકે, સંગીતાના ડૉક્ટર ડૉ. સંદિપ કુમાર પણ એક સારા વાયોલીન વાદક છે. એસએસકેએમ હોસ્પિટલમાં કાર્ડિયાક એનેસ્થેસિયા સ્પેશ્યાલીસ્ટ સંદીપે સંગીતાના પરિવારને મ્યુઝીક થેરાપી અંગે સલાહ આપી હતી. ડૉક્ટરે કહ્યું કે હવે, સંગીતા સંપૂર્ણ રીતે ભાનમાં આવી જાયે તેની આપણે રાહ જોવી જોઈએ.

 

 



from Page Array – I Am Gujarat https://ift.tt/2GqsS2K

No comments:

Post a Comment

Pages