Latest

Friday, December 14, 2018

શાહિદ કપૂરની ‘હૈદર’નો આર્ટિસ્ટ બન્યો આતંકવાદી, અથડામણમાં ઠાર

અથડામણમાં ઠાર આતંકવાદીઓ

સલીમ પંડિત, શ્રીનગરઃ 2013માં આવેલી ફિલ્મ ‘હૈદર’માં રુપેરી પડદે કાશ્મીરની અનેક સમસ્યાઓને ઉજાગર કરવાનું કામ કર્યું હતું. જોકે, હવે આ ફિલ્મમાં રોલ કરનાર એક યુવક સુરક્ષાદળ સાથેની અથડામણમાં માર્યો ગયો છે. ગત રવિવારે શ્રી નગરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ કથિત આતંકીઓને અથડામણમાં ઠાર મરાયાં હતાં. જેમાંથી એક 17 વર્ષનો શાકિબ ઈકબાલ પણ છે. ઈકબાલે ‘હૈદર’ ફિલ્મમાં એક નાનો રોલ કર્યો હતો.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

‘હૈદર’નો ‘ચોકલેટી બોય’

વિશાલ ભારદ્વાજના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં શાકિબ ઈકબાલ પર બે શોટ ફિલ્માવવામાં આવ્યાં હતાં. જેમાં તેને 1,400 રુપિયા આપવામાં આવ્યાં હતાં. શાકિબના મામા અસીમ એઝાઝે જણાવ્યું કે તે સેન્ટોર લેકમાં પાંચ વર્ષ પહેલા બે શોટ ફિલ્માવવામાં આવ્યાં હતાં. વિશાલ ભારદ્વાજ માટે કાશ્મીરી કો-ઓર્ડિનેટર્સને ‘ચોકલેટી બોય’ની જરુર હતી. કો-ઓર્ડિનેટર્સને શાકિબનો ચોકલેટી ચહેરો પસંદ આવતાં તેને સિલેક્ટ કરાયો હતો.

‘હૈદર’ સમયે 13 વર્ષનો હતો શાકિબ

શાકિબના મામાએ જણાવ્યું કે હું જ મારા 13 વર્ષના ભાણેજને તે સમયે શૂટિંગ પર લઈને ગયો હતો. ડિસેમ્બર 2013માં તેને એક ડઝન યુવકો સાથે લેક વ્યૂ હોટલ લઈ ગયાં હતાં. ‘હૈદર’માં આવેલા કાશ્મીરમાં ચૂંટણીના સીનમાં તે જોવા મળ્યો હતો. દીકરાના અવસાનના દુઃખમાં ડૂબેલા બિલાલ અહમદ શેખે જણાવ્યું હતું કે,’મારો દીકરો ગુડ લુકિંગ અને સારો વિદ્યાર્થી હતો. તેને થિએટરમાં ખૂબ જ રસ હતો. ભાગ્યે જ એવી કોઈ તક આવી હશે જેમાં તેણે કટ્ટરવાદની વાત કહી હોય.’

પરિવારને પણ નહોતી ખબર

શાકિબ ક્યારે અને કેવી રીતે કટ્ટરવાદના પ્રભાવમાં આવી ગયો. આ સમગ્ર પરિવાર માટે એક રહસ્યમયી ઘટના છે. શાકિબના મામાએ જણાવ્યું હતું કે તે હંમેશા ખુશ રહેનાર યુવક હતો. તેને સારુ ભોજન અને સંગીત ખૂબ જ ગમતું હતું.



from Page Array – I Am Gujarat https://ift.tt/2CaX8dS

No comments:

Post a Comment

Pages