કેટલીક વસ્તુઓ નહીં પચવાના કારણે પથરી થાય છે

ઘણી વખત આપણે જમતી વખતે એવા ખાદ્ય પદાર્થો આરોગી લઈએ છીએ કે જેનાથી શરીરમાં સ્ટોન અથવા તો પથરી થવાની સંભાવનાઓ વધી જાય છે. કારણકે આ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં ઓક્સિલેટની માત્રા વધુ હોવાને કારણે શરીરની અંદર રહેલા કેલ્શિયમની સાથે મિશ્રિત થઈને પથરી બને છે. કારણકે આ પ્રકારની ચીજવસ્તુઓ શરીરમાં જલદી પચતી નથી અને બાદમાં તે પથરીનું સ્વરૂપ ધારણ કરે છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
પાલક અને ભીંડા

પાલક અને ભીંડામાં ઓક્સિલોટ હોય છે જે આપણા કેલ્શિયમને જમા કરે છે અને યૂરિનના રસ્તેથી તેને બહાર નીકળવા નથી દેતા. બાદમાં ધીરે-ધીરે આ કેલ્શિયમ કિડનીમાં પથરીનું સ્વરૂપ ધારણ કરે છે.
ચા

શું તમે જાણો છો કે પથરી થવાનું સૌથી મોટું કારણ ચાનું સેવન છે. વધારે પડતી ચા પીવાના કારણે પથરીની સાઈઝ વધી જાય છે.
ટામેટા

ટામેટામાં પણ વધુ પ્રમાણમાં ઓક્સિલેટ જોવા મળે છે, જેના કારણે શરીરની અંદર પથરી તૈયાર થાય છે. માટે સલાડમાં ટામેટા ખાવાનું ટાળો.
મીઠું

મીઠામાં રહેલું સોડિયમ શરીરની અંદર જઈને કેલ્શિયમ તૈયાર કરે છે, જેના કારણે બાદમાં પથરી બનવાની શરૂ થઈ જાય છે.
નોનવેજ ફૂડ

નોનવેજ ફૂડમાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે, જેનાથી કિડનીમાં પ્યૂરીનની માત્રા વધી જાય છે. જેના કારણે બાદમાં યૂરિક એસિડ વધવા લાગે છે. ત્યારબાદ શરીરમાં સ્ટોન બનવાનો શરૂ થઈ જાય છે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2RrMggV
No comments:
Post a Comment