વર્લ્ડકપમાં બુમરાહની ભૂમિકા રહેશે મહત્વપૂર્ણ

ઈંગ્લેન્ડમાં આગામી વર્ષે યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન જસપ્રીત બુમરાહની ફિટનેસ અને ફોર્મ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે અને એટલે જ આ ફાસ્ટ બોલરને ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી આગામી વન-ડે સીરીઝ દરમિયાન કેટલીક મેચોમાંથી આરામ આપવામાં આવી શકે છે.
વિદેશની ધરતી પર 9 ટેસ્ટમાં 48 વિકેટ

ભારતની ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ MCG પર ત્રીજી ટેસ્ટમાં 137 રનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા બુમરાહે આ વર્ષે વિદેશી ધરતી પર નવ ટેસ્ટમાં 48 વિકેટો ઝડપી છે. બુમરાહે નવ ટેસ્ટમાં 379.4 ઓવર્સ બોલિંગ કરી છે જ્યારે મોહમ્મદ શમીએ તેનાથી વધુ ઓવર (383.5) બોલિંગ કરી છે, જોકે, તે 12 ટેસ્ટ રમ્યો છે. આ દરમિયાન ઈશાંતે 335 જ્યારે રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 386 ઓવર્સ બોલિંગ કરી છે.
આ રીતે તૈયાર થશે 2019ની સ્ક્વૉડ

ભારતની વર્લ્ડકપની તૈયારીઓની વાત કરીએ તો તેમાં ઈશાંત અને અશ્વિન શામેલ નથી. જે 20 ભારતીય ખેલાડીઓને લઈને વર્લ્ડકપની તૈયારી કરવામાં આવશે તેમાંથી 16નું સિલેક્શન ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ સીરીઝ માટે કરવામાં આવશે. આ ઉપરાંત ઋષભ પંત, શ્રેયસ અય્યર, મનીષ પાંડે અને ઉમેશ યાદવ પણ દાવેદારોમાં શામેલ છે.
IPLમાં ઓછો કરાશે બુમરાહનો કાર્યભાર?

જ્યાં સુધી બોલર્સના કાર્યભારની વાત છે ત્યાં સુધી મેનેજમેન્ટ અને સિલેક્ટર્સનો એક જ મત છે કે, બુમરાહનું સિડની ખાતે રમાનારી છેલ્લી ટેસ્ટમાં રમવું નક્કી છે અને IPLમાં પણ તે મુંબઈ ઈન્ડિયન્સનું મહત્વનું અંગ રહેશે. તેના કાર્યભારને ઓછો કરવા માટે બની શકે કે, BCCI તેની ફ્રેન્ચાઈઝી સાથે પણ વાત કરે.
મુંબઈ ઈન્ડિયન્સ સાથે વાત કરી શકે છે BCCI

BCCIના આ ટોચના અધિકારીએ પોતાની ગોપનીયતા જાળવી રાખવાની શરતે જણાવ્યું કે, ‘વિરાટ જેવા કદનો ખેલાડી બુમરાહના કાર્યભાર અંગે તેની ફ્રેન્ચાઈઝી સાથે વાત કરી શકે છે. પણ બુમરાહ અંગે ભારતીય ટીમના સપોર્ટિંગ સ્ટાફે સંબંધિત આંકડા એકઠાં કરવા પડશે જેથી જરૂર પડ્યે તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે વાત કરી શકે.’
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2rZ8s7d
No comments:
Post a Comment