Latest

Saturday, December 1, 2018

શહેરની વચ્ચે ગામડાંનો અનુભવ કરાવતું પવિત્ર જૈન તીર્થ

કડી પાસે આવેલું છે પવિત્ર જૈન તીર્થ ભોયણી

ભોયણી જૈન તીર્થ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં કડી નજીક આવેલ એક જૈન તીર્થ છે, જે દેત્રોજ તાલુકાના ભોયણી ગામ ખાતે આવેલ છે. આ જૈન તીર્થ પૂર્વે “પદ્માવતી નગર” તરીકે જાણીતું હતું. સદીઓ પૂર્વે આ સ્થળે કેટલાંક જૈન મંદિરો બન્યા હતાં, એવું અહીં કરવામાં આવેલ ખોદકામ દરમ્યાન મળી આવેલી ખંડીત પ્રતિમાઓ પરથી જાણી શકાય છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

ભોયણીમાં શ્રી મલ્લિનાથજી પ્રભુની સ્થાપના કરવામાં આવી છે

વિક્રમ સંવત ૧૯૩૦ના સમયમાં અહીં કેવળ પટેલના ખેતરમાં કુવો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ૪.૫ ફુટ જેટલું ખોદકામ કરતાં તેમાંથી ૧૦૪ સે.મી. ઊંચી પદ્માસનસ્થ અને શ્વેતવર્ણી શ્રી મલ્લીનાથ પ્રભુની મૂર્તિ મળી આવી હતી. અહીં એક જિનાલયનું નિર્માણ કરી વિક્રમ સંવત ૧૯૪૩માં મહા સુદ દસમને દિવસે શ્રી મલ્લીનાથ પ્રભુની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર વિશાળ છે અને તેને ત્રણ શિખરો છે. મંદિરની ભીંતો પર કોતરણી જોવા મળે છે. દર વર્ષે માઘ મહીનામાં અહીં એક ઉત્સવ ખુબજ ધૂમધામથી મનાવવામાં આવે છે.

પવિત્ર તીર્થ ભોયણીમાં માનસિક શાંતિનો અનુભવ થાય છે

ભોયણીમાં રહેવા, જમવાની ઉત્તમ સુવિધા છે. આ એક ખૂબ જ શાંત જગ્યા છે અને અહીં અદ્દલ ગામડાંનો જ અનુભવ થાય છે. અહીં મુલાકાતે આવતા પર્યટકોનું એવું કહેવું છે કે અહીં આવ્યા બાદ અને રોકાણ કરવાથી માનસિક શાંતિ મળે છે, રાત્રે સ્વચ્છ આકાશમાં તારાઓનું સ્વચ્છ ઝૂંડ જોવા મળે છે.

અમદાવાદથી માત્ર 60 કિલોમીટરના અંતરે આવેલું છે ભોયણી

શહેરથી દૂર અને પ્રદૂષણમુક્ત તેમજ મનને શાંતિ આપતા આ સ્થળની મુલાકાત લેવાથી ધાર્મિકતા અને આનંદનો અનુભવ થાય છે. ભોયણી જૈન તીર્થની નજીક પાનસર અને શેરીસા નામના પણ બે અન્ય જૈન તીર્થસ્થળ આવેલા છે. અમદાવાદથી માત્ર 60 કિલોમીટરના અંતરે આવેલું છે આ પવિત્ર સ્થળ.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2U2VIcv

No comments:

Post a Comment

Pages