Latest

Friday, December 14, 2018

રાહુલ પર ગર્જ્યા શાહ, ‘ જનતા ક્યારેય નહીં માને કે ચોકીદાર ચોર છે’

નવી દિલ્હી: રફાલ ડીલ પર કથિત કૌભાંડના આરોપના મામલે સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ક્લીનચિટ આપી દેતા ભાજપે કોંગ્રેસ પર હુમલો કર્યો છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, રફાલ ડીલ પર સુપ્રીમના નિર્ણયથી સત્યની જીત થઈ છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા શાહે કહ્યું હતું કે, દેશની જનતા ક્યારેય નહીં માને કે ચોકીદાર ચોર છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા માટે ક્લિક કરો

રફાલ સોદમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂકી રાહુલ ગાંધીએ અનેકવાર જાહેરમાં પીએમ મોદી પર સીધો હુમલો કરતા ‘દેશના ચોકીદાર ચોર છે’ તેવું નિવેદન આપ્યું હતું. એક સવાલના જવાબમાં શાહે કહ્યું હતું કે, ચૂંટણીમાં ફાયદો-ગેરફાયદો અલગ વાત છે, પરંતુ દેશની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર આરોપ ન લગાવવા જોઈએ. શાહે રાહુલ ગાંધી માફી માગે તેવી માગ પણ કરી હતી.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ રફાલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. શુક્રવારે આ મામલે દાખલ કરાયેલી તમામ અરજીઓને રદ્દ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રફાલ ડીલના સોદામાં કોઈ પ્રકારની ગેરરીતિ નથી થઈ. આ ચુકાદાથી કેન્દ્ર સરકાર અને ભાજપ ફ્રંટ ફુટ પર આવી ગયા છે. અમિત શાહે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું હતું કે સૂરજ સામે ગમે તેટલી માટી કે કીચડ ઉચાળો, તે પોતાના પર જ પડે છે.

એક સવાલના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે, સરકાર આ મામલે સંયુક્ત સંસદીય કમિટિની તપાસથી સરકાર ભાગી નથી રહી, પરંતુ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં કેમ તથ્યો સાથે ન ગઈ? રાહુલ કેમ ભાગી રહ્યા છે? તેવા સવાલ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમમાં અરજી કરનારાઓમાં અરુણ શૌરી, યશવંત સિન્હા જેવા નેતા સામેલ રહ્યા છે, કોંગ્રેસની બી ટીમ પણ ક્યાં છે? શાહે કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો કે તે તથ્યોને લઈને ગૃહમાં ચર્ચા કરે.

અમિત શાહે રાહુલ ગાંધીને કેટલાક સવાલ પણ કર્યા છે. તેમણે પૂછ્યું હતું કે, રાહુલ ગાંધીએ કયા આધાર પર રફાલ સોદા પર આક્ષેપ કર્યા? તેમને આ માહિતી કોણ આપતું હતું તે દેશની જનતા જાણવા માગે છે. 2001માં ભારતીય વાયુસેનાએ પોતાની જરુરિયાત જણાવી હતી. 2007માં તેમની સરકારે સોદો કરવાની કોશીશ કરી, પરંતુ 2014 સુધી સોદો કેમ ન થયો? શું તેમાં કમિશનની રકમ નક્કી કરવાની બાકી હતી? તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે જેટલા પણ સોદા કર્યા છે તે બધામાં કમિશનખોરી કરી છે, જ્યારે મોદી સરકારે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડીલ કરી વચેટિયાઓનો કોઈ અવકાશ નથી રાખ્યો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2zXlx5s

No comments:

Post a Comment

Pages