ચિરંજીવી હનુમાનઃ

હિન્દુ ધર્મમાં જે આઠ ચિરંજીવીઓનો ઉલ્લેખ છે તેમાંના એક છે રામ ભક્ત હનુમાન. તેમણે રામ ભગવાન પાસે વરદાન માંગ્યુ હતુ કે જ્યાં સુધી દુનિયામાં રામ નામ લેવાય છે ત્યાં સુધી તે મનુષ્યો વચ્ચે રહેવા માંગે છે.
અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
રામના સેવકઃ

હનુમાનજીએ પોતાના જીવનનો મોટો હિસ્સો પોતાના પ્રભુ શ્રી રામ અને તેમની પત્ની સીતાની સેવામાં સમર્પિત કરી દીધો. હનુમાનજીના ભક્તો તેમને શ્રીરામના સેવકના સ્વરૂપમાં જ ઓળખે છે. તેમની ઓળખ જ શ્રીરામના ભક્ત તરીકેની છે. અંતિમ સમય સુધી તે રામજીના ચરણોમાં રહ્યા હતા.
અમેરિકા ગયા હતા હનુમાન?

હવે રામાયણની કથા ભારતમાં લખાઈ છે ત્યારે કોઈ તમને કહે કે અમેરિકામાં હનુમાનજીની ઉપસ્થિતિ હતી તો તમે માની લો? પરંતુ આ વાત સાચી છે. હનુમાનજી તેમના જીવન દરમિયાન ખાસ કારણથી અમેરિકા ગયા હતા. આજે પણ વૈજ્ઞાનિકો એ જગ્યાએ ગંભીર સંશોધન કરી રહ્યા છે પરંતુ તેમના હાથે ખાસ કંઈ લાગતુ નથી. જે પણ મળ્યું છે તે ધૂંધળા તથ્ય છે.
થિયોડર મોર્ડે કરી શોધઃ

સૌથી પહેલા 1940માં સાહસિક સંશોધક થિયોડર મોર્ડ અમેરિકાના જંગલમાં ફરી રહ્યા હતા ત્યારે તેમને કંઈક એવુ હાથ લાગ્યું હતું જેણે આખી દુનિયાના વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા હતા. મોર્ડે કહ્યું કે તેને જંગલમાં એક એવો કબીલો કે ગામ મળ્યું જ્યાંના દેવતા એક વાનર જેવા દેખાતા માણસ હતા.
લોસ્ટ સિટી ઑફ મંકી ગૉડઃ

મોર્ડ અનુસાર આ જગ્યાનું નામ લોસ્ટ સિટી ઑફ મંકી ગૉડ છે. વૈજ્ઞાનિકો છેલ્લા કેટલાંય વર્ષોથી લા ક્યુડીઆડ બ્લાન્કા નામની જગ્યા શોધી રહ્યા હતા પરંતુ મોર્ડના સંશોધન પછી આમાં મોટો વળાંક આવ્યો હતો.
આ વિસ્તારમાં છે શહેરઃ

મોર્ડના જણાવ્યા અનુસાર મધ્ય અમેરિકાના મસક્યુશિયા વિસ્તારના જંગલોમાં 32,000 સ્ક્વેર માઈલમાં પથરાયેલી એવી જગ્યા છે જે લોકોની નજરોથી છૂપી રહી હતી. આ જગ્યા શોધવા માટે તે પોતાના સાથી લોરેન્સ સાથે જંગલમાં 4-5 મહિના સુધી ભટકતો રહ્યો હતો. આટલા સંશોધન પછી તેને એક એવી જગ્યા મળી જેની દીવાલો કોઈ સાધારણ પથથર નહિ પરંતુ સફેદ આરસથી બનાવાઈ હતી. આ જ કારણે વૈજ્ઞાનિકોએ તેને ધ વ્હાઈટ સિટીનું નામ આપ્યું છે.
શું છે ઈતિહાસ?

આ જગ્યા જોઈને લાગે છે કે એક સમયે અહીં મોટું સામ્રાજ્ય હશે. શહેરની ચારે બાજુ સફેદ દીવાલનો ઘેરો હતો. લોકોને પૂછતા મોર્ડને માલૂમ પડ્યું કે અહીં એવો કબીલો રહેતો હતો જે વાનર જેવા દેખાતા માનવની પૂજા કરતા હતા. આ દેવતા ન તો સંપૂર્ણપણે વાનર હતા, ન તો માનવ. તેમને વિશ્વાસ છે કે આજે પણ આ દેવતાની કોઈ વિશાળ મૂર્તિ જમીન નીચે દટાયેલી છે.
સંઘર્ષઃ

અહીંના લોકોના જણાવ્યા મુજબ ત્યાં રહેતા લોકોએ એ જગ્યાએ પોતાના પ્રભુને મેળવવા માટે અનેક પ્રકારના યુદ્ધ લડ્યા હતા. યુદ્ધ પૂરુ થયા બાદ મૃત શબને ગ્રહણ પણ કર્યા હતા. આ બધુ સાંભળવામાં અટપટુ લાગે છે પરંતુ એ સમયે ત્યાં શું થયુ હતુ એ કોઈ નથી જાણતુ.
રામાયણમાં ઉલ્લેખઃ

મોર્ડે જે જગ્યા શોધી તેનો ઉલ્લેખ હજારો વર્ષ પહેલા રામાયણમાં કરવામાં આવ્યો હતો. રામાયણના કિષ્કિંધા કાંડ મુજબ હનુમાનજી એક સમયયે મધ્ય અમેરિકા ગયા હતા. હનુમાનજી જ એક માત્ર એવા હિન્દુ દેવતા છે જેમનું શરીર જોવામાં એકદમ વાનર જેવુ છે અને ચાલ-ઢાલ તથા વાણી માણસો જેવી છે.
પાતાળ લોકઃ

રામાયણમાં મોજૂદ અધ્યાય મુજબ હનુમાનજી એકવાર પાતાળ લોક જવા રવાના થયા હતા. વર્તમાનમાં મધ્ય અમેરિકા તથા બ્રાઝિલના હિસ્સાને પાતાળ લોકમાં માનવામાં આવે છે. કારણ કે આ પૃથ્વીના ગોળાના આધારે ભારત કરતા એકદમ ઊંધી દિશામાં પડે છે જે જમીનથી ખાસ્સા નીચે છે. આથી તેને પાતાળ લોક માનવામાં આવતો હતો.
પુત્રને મળવા?

અધ્યાય અનુસાર હનુમાનજી પોતાના પુત્ર મકરદ્વજને મળવા પાતાળ ગયા હતા. તે પણ હનુમાનજી જેવા જ દેખાતા હતા. ત્યારે હનુમાનજીનું પાતાળના રાજા સાથે ભીષણ યુદ્ધ થયુ હતુ. તેમાં પાતાળ લોકોનો રાજા માર્યો ગયો હતો અને હનુમાનજીએ પાતાળલોક પોતાના પુત્રના નામે ઘોષિત કરી દીધો હતો. રાજા બન્યા બાદ ત્યાંના લોકો મકરધ્વજની ભગવાનની જેમ પૂજા કરવા માંગ્યા હતા. મોર્ડે શોધેલી જગ્યાએ વાનર જેવા દેખાતા જીવની પૂજા કરવામાં આવે છે.
કેટલીક વાતો છૂપાવીઃ

નવાઈની વાત એ છે કે મોર્ડે પોતાના સંશોધનની બધી જ વાત વિસ્તારપૂર્વક નથી જણાવી. જેમ કે, જે વ્હાઈટ સિટી તેને મળ્યું ત્યાં જવાનો રસ્તો. એવુ પણ બની શકે છે કે મોર્ડે વૈજ્ઞાનિકોથી બીજા કેટલાંય પુરાવા છૂપાવીને રાખી હોય. મોર્ડ એવુ નહતા ઈચ્છતા કે વૈજ્ઞાનિક બીજી વાર એ જગ્યાએ જાય અને ત્યાંની સુંદરતા અને અનમોલ વસ્તુઓને ચોરીને એ જગ્યાને નષ્ટ કરી દે.
રહસ્યમય મૃત્યુઃ

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે 1954માં રહસ્યમય રીતે મોર્ડનું મૃત્યુ થઈ ગયુ હતુ. અને અનેક રાઝ તેની સાથે જ દટાઈ ગયા હતા. પરંતુ 2012માં ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર સ્ટીવ એલકિન્સની ટીમે આ જગ્યા LIDAR સેન્સિંગ ટેકનોલોજીની મદદથી શોધી કાઢી હતી. અહીં જે મૂર્તિઓ મળી આવી છે તે આપણા હનુમાનજીના વર્ણનને આબેહૂબ મળી આવે છે. આથી વર્ષો પહેલા હનુમાનજી અમેરિકા ગયા હોય એ વાતને નકારી શકાય તેમ નથી.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2EhAz8Y
No comments:
Post a Comment