વિદ્યાર્થીઓમાં ફૂટી નીકળ્યો ગુસ્સો
અમદાવાદઃ આજે રાજ્યભરમાં લોકરક્ષક દળની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓમાં ભારોભાર ગુસ્સો ફૂટી નીકળ્યો છે. જે ઉમેદવારોએ મહેનતથી તૈયારી કરી હોય તેમના ઉત્સાહ પર ઠંડુ પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત પરીક્ષા રદ થવાના કારણે ઉમેદવારોના પરિવારમાં પણ નારાજગી પ્રવર્તી છે. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં આક્રમક પડઘાં પડ્યાં છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન
રાજકોટ, અમદાવાદ, બનાસકાંઠા, પાલનપુર, નવસારી, ભાવનગર સહિત ગુજરાતભરમાં ઠેરઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શનો ચાલુ થઈ ગયાં હતાં. અનેક જગ્યાએ પ્રવેશ માટેની રીસીપ્ટ ફાડીને વિરોધ કરાયો હતો તો રાણપુરમાં પરીક્ષાર્થીઓએ કોલ લેટર સળગાવ્યાં હતાં. અમદાવાદમાં શિક્ષણમંત્રીના પૂતળાનું દહન કરીને વિદ્યાર્થીઓએ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. ગાંધીનગરમાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
ગુજરાત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર
બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષાની અણઘડ વ્યવસ્થાથી ત્રસ્ત થઈ ગુજરાત સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યાં હતાં. આ ઘટનાના પગલે રાજ્યભરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
ઠેર ઠેર ખોરવાઈ વ્યવસ્થા
લોકરક્ષકની પરીક્ષા બંધ રહેતા અનેક શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, અનેક વિદ્યાર્થીઓને ઘરે જવા માટે વાહનોની રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરેન્દ્રનગર, અમદાવાદ, પાલનપુર, રાજકોટ વગેરે શહેરમાં બસ સ્ટેન્ડમાં પરીક્ષાર્થીઓ અને વાલીઓની ભીડ જોવા મળી હતી. નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૩ કેન્દ્રો પર અંદાજે ૧૬૦૦૦ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં હતાં.
કોંગ્રેસના ધારાસભ્યોએ CMને લખ્યો પત્ર
કોંગ્રેસના 3 ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે માંગણી કરી છે.પરીક્ષાર્થીઓને વળતર ચૂકવવા માટે અને SIT દ્વારા તપાસ કરીને યોગ્ય પગલાં લેવાનું કહ્યું છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2FRhyg1
No comments:
Post a Comment