Latest

Monday, December 3, 2018

અહીં આવતા લોકોની વિદેશ જવાની ઈચ્છા થઈ જાય છે પૂર્ણ

પ્રસાદ તરીકે રમકડાંના વિમાન જોવા મળે છે

દેશના પંજાબ રાજ્યના જલંધર જિલ્લામાં આવેલા સંત બાબા નિહાલ સિંહના ગુરુદ્વારામાં આવતા શ્રધ્ધાળુઓની વિદેશ જવાની મનોકામના થઈ જાય છે પૂર્ણ, પણ અહીં પ્રસાદ તરીકે રમકડાના વિમાનનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ ગુરુદ્વારાને હવાઈ જહાજ ગુરુદ્વારાના નામે પણ ઓળખવામાં આવે છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

હવાઈ જહાજ ગુરુદ્વારાના નામે ઓળખવામાં આવે છે

આ ગુરુદ્વારાને લઈને લોકોમાં એવી માન્યતા છે કે જો કોઈને વિદેશ જવામાં અડચણ ઊભી થઈ રહી છે તો અહીં રમકડાના વિમાનનો પ્રસાદ ચઢાવવાની બાધા રાખવામાં આવે તો જે-તે વ્યક્તિની વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. આ ગુરુદ્વારામાં રવિવારે ભક્તોની ખાસ્સી ભીડ જોવા મળે છે.

બાદમાં રમકડાંના વિમાન બાળકોને આપી દેવામાં આવે છે

આ ગુરુદ્વારા ઓછામાં ઓછું 150 વર્ષ જૂનું છે, આ ગુરુદ્વારા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે અહીં આવતા ભક્તો મોટાપ્રમાણમાં રમકડાના વિમાનોનો પ્રસાદ ધરાવે છે. માટે જે બાળકો અહીં દર્શન કરવા માટે આવે તેમને આ રમકડાના વિમાન વહેંચી દેવામાં આવે છે. આ ગુરુદ્વારા દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2AHbZL6

No comments:

Post a Comment

Pages