Latest

Saturday, December 1, 2018

પુરાણોમાં લખ્યું છે ક્યારે અને કેવી રીતે થશે કળિયુગનો અંત!

આ રીતે આવશે કળિયુગનો અંત

યુગનો અર્થ થાય છે એક નિર્ધારિત સંખ્યાના વર્ષોનો સમય. ઉદાહરણ તરીકે કળિયુગ, દ્વાપર, સતયુગ, ત્રેતાયુગ વગેરે. એક યુગના અંત બાદ બીજા યુગની શરૂઆત થાય છે. શાસ્ત્રોમાં કળિયુગના અંત વિશે જણાવાયું છે. બ્ર્હ્મવૈવર્ત પુરાણમાં કળિયુગના અંતનો ઉલ્લેખ મળે છે. જે મુજબ નીચે આપેલા સમયે અને પ્રક્રિયા દ્વારા કળિયુગનો અંત થશે.

વ્યક્તિની ઉંમર ઓછી થશે

બ્રહ્મવૈવર્ત પુરાણમાં લખ્યુ છે કે જ્યારે કળિયુગ ખતમ થવાનો હશે ત્યારે વ્યક્તિ ખૂબ જ નાની ઉંમર સુધી જીવતો રહેશે. મતલબ કે તેનું આયુષ્ય ઓછું થઈ જશે. કળિયુગમાં લોકોના શરીર પર જલ્દી બીમારી અને દોષ દેખાવા લાગશે. તણાવના કારણે ખૂબ જ નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગશે. ખરાબ વાતાવરણ અને તણાવગ્રસ્ત દિનચર્યાના કારણે 20 વર્ષની ઉંમરથી જ વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગશે. યુવાન અવસ્થા ઝડપી સમાપ્ત થઈ જશે.

પુરુષ મહિલાને આધીન હશે

બ્રહ્મવૈવર્ત પુરાણમાં આ વાતનું પણ વર્ણન છે કે ભગવાન નારાયણે દેવર્ષિ નારદને આ વાતની જાણકારી આપી હતી તે કળિયુગમાં એવો સમય આવશે જ્યારે પુરુષ મહિલાને આધિન થઈ જશે. દેશ-દુનિયામાં માત્ર પાપનું જ સામ્રાજ્ય હશે. લોકો આળસું બની જશે. લોકોનું મન તામસિક દિનચર્યા પ્રત્યે વધારે આકર્ષિત થશે.

સુકાઈ જશે ગંગા

આ વાતનો પણ ઉલ્લેખ છે કે કળિયુગમાં પાંચ હજાર વર્ષો વિત્યા બાદ ગંગા નદીનું પાણી એકદમ સુકાઈ જશે. ગંગા ફરી એકવાર પોતાના લોક એટલે કે વૈકુંઠ જતી રહેશે. કળિયુગના 10 હજાર વર્ષ પૂરા થયા બાદ દેવી-દેવતાઓ ધરતી છોડીને પોતાના લોક પ્રસ્થાન કરી લેશે. લોકો વ્યાભિચારમાં ખોવાઈ જશે અને સાત્વિક જીવનથી તેમનો મોહ ભંગ થઈ જશે.

બંજર થઈ જશે ધરતી

આ વાતનો પણ ઉલ્લેખ છે કે કળિયુગમાં પૃથ્વી બિનઉપજાઉ થઈ જશે. જેથી ખેડૂક ખેતી નહીં કરી શકે અને અન્ન ન થવાના કારણે લોકો ભૂખ્યા મરશે. કળિયુગના અંતમાં પૃથ્વી પાણીમાં ડૂબી જશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2PeSdMB

No comments:

Post a Comment

Pages