ધોની સાથેના મતભેદોને કારણે લીધી નિવૃત્તિ?

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન VVS લક્ષ્મણે પોતાના પુસ્તક ‘281 એન્ડ બિયૉન્ડ’માં પોતાની જિંદગીના ઘણા રહસ્યો ખોલ્યાં છે. લક્ષ્મણે 2012માં અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. ત્યારબાદ તેના અને તત્કાલીન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વચ્ચે મતભેદ હોવાની વાતો સામે આવી હતી.
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા માટે અહીં ક્લિક કરો
હોમગ્રાઉન્ડ પર મેચ પહેલા કરી ઘોષણા

લક્ષ્મણે 18 ઑગસ્ટ 2012ના રોજ સન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો જ્યારે આના એક સપ્તાહની અંદર જ તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હૈદરાબાદમાં પોતાના હૉમ ગ્રાઉન્ડ પર રમવાનું હતું. નિવૃત્તિની ઘોષણા બાદ ચર્ચા થવા લાગી હતી કે, પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે મતભેદ હોવાને કારણે તેણે આ નિર્ણય લેવો પડ્યો. જોકે, લક્ષ્મણે આ દાવાને ફગાવી દીધો અને આને પોતાના કરિયરનો પહેલો અને એકમાત્ર વિવાદ ગણાવ્યો.
‘અંતરાત્માનો અવાજ સાંભળી લીધો નિર્ણય’

તેણે કહ્યું કે, ‘મેં બહારી કારણોથી સન્યાસ લીધો નથી અને તેના માટે મજબૂર કરાયો નથી. મેં મારી અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને તેણે મને નિરાશ ન કર્યો. મારું સમગ્ર જીવન, મારા કાર્યો આ અવાજ પર નિર્ભર રહ્યાં છે પણ આમાં નજીકના લોકોના સૂચનોની પણ મહત્વની ભૂમિકા રહી. તે સમયે મેં વધારે પરિપક્વતા દેખાડતા માત્ર આ અવાજને સાંભળ્યો, મારા પિતાની સલાહ સુધ્ધાને મહત્વ ન આપ્યું.’
સચિને એક કલાક સમજાવ્યો પણ લક્ષ્મણ ન માન્યો

લક્ષ્મણે જણાવ્યું કે, મીડિયાને મારા રિટાયર્મેન્ટની જાણકારી આપતા પહેલા તેણે ઘણા ભારતીય ક્રિકેટર્સ સાથે વાત કરી હતી જેમાં તેના સાથી ખેલાડી ઝહીર ખાન અને સચિન તેંડુલકર પણ શામેલ હતા. તેણે કહ્યું કે, ‘સચિન NCAમાં હતો અને તેણે મને મનાવવાનો પ્રયાસ કર્યો કે, હું પ્રેસ કૉન્ફરન્સ ટાળી દઉ. મેં સચિનની સલાહને નકારી દીદી પણ મેં તેને તે સમયે સન્માન સાથે કહ્યું કે, હું આ વખતે તેની વાત માની શકું તેમ નથી. મેં એક કલાકની ચર્ચા દરમિયાન તેને વારંવાર કહ્યું કે, મેં નિર્ણય લઈ લીધો છે.’
શું-શું છે લક્ષ્મણના પુસ્તકમાં

લક્ષ્મણે પોતાના બાળપણના દિવસોના ક્રિકેટની પણ વાત કરી અને એ પણ જણાવ્યું કે, ડૉક્ટરને બદલે ક્રિકેટર બનવાનો વિકલ્પ પસંદ કરવો કેટલું મુશ્કેલ હતું. તેણે પોતાના પુસ્તકમાં સચિન તેંડુલકર, સૌરભ ગાંગુલી, મોહમ્મદ અઝહરુદ્દીન, વીરેન્દ્ર સેહવાર અને રાહુલ દ્રવિડ સાથેની પોતાની દોસ્તીનો ઉલ્લેખ કરવા ઉપરાંત ઈડન ગાર્ડન્સ સાથે પોતાના ખાસ લગાવ પર પણ પ્રકાશ પાડ્યો જ્યાં તેણે 2001માં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 281 રનની યાદગાર ઈનિંગ રમી હતી.
from Page Array – I Am Gujarat https://ift.tt/2QaVUbp
No comments:
Post a Comment