Latest

Friday, December 14, 2018

શું જેઠાલાલ પોતાની દુકાનને બચાવવા નટુકાકાને જેલભેગા કરશે?

52 કલાકમાં દુકાન ખાલી કરવાની ધમકીઃ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેટેસ્ટ એપિસોડમાં દર્શાવાયું કે જેઠાલાલ અને તેના સાથી સૂરમા ભાઈના માણસો ગોકુલધામ પહોંચે ત્યારે વકીલ દવાવાલાને ત્યાં પહોંચે છે. સૂરમા ભાઈના માણસો જેઠાલાલને તેમની દુકાન 52 કલાકમાં ખાલી કરી આપવાની ધમકી આપે છે. એ લોકો જેઠાલાલને મીઠાઈ સાથે પાંચ કરોડનો ચેક પણ આપે છે.

અમારા ન્યુઝ WhatsApp પર વાંચવા અહીં ક્લિક કરો

બાપુજી જેઠાલાલથી નારાજઃ

બાપુજી જેઠાલાલ પર ગુસ્સે ભરાય છે પણ મહેતાજી તેમને શાંત પાડે છે અને કહે છે કે તે વકીલને મળ્યા બાદ જ કોઈપણ નિર્ણય લેશે. ત્યાર બાદ એ બધા જ વકીલને મળવા પહોંચે છે.

જેઠાલાલને ભૂલ સમજાઈઃ

મહેતાજી જેઠાલાલને પૂછે છે કે તેમના મગજમાં શું ચાલી રહ્યું છે. ત્યારે જેઠાલાલ જણાવે છે કે તેને અહેસાસ થયો છે કે તેણે બોલતા પહેલા વિચારવું જોઈએ. બધા જેઠાલાલને પોઝિટિવ રહેવાની શીખામણ આપે છે.

નટુકાકા પર ગુસ્સે જેઠાલાલઃ

નટુકાકા દવાવાલાની ઑફિસની બહાર રાહ જોતા જોવા મળે છે. જેઠાલાલ તેને જોતા જ ગુસ્સે થઈ જાય છે અને નટુ કાકાને ત્યાંથી જતા રહેવા જણાવે છે. નટુકાકા કહે છે કે આ પરિસ્થિતિ તેમને કારણે ઊભી થઈ છે અને આથી જ આ પરિસ્થિતિમાં તેણે તેના શેઠની પડખે ઊભા રહેવાનો નિર્ણય કર્યો છે.

ડો. હાથી વકીલને મળ્યાઃ

ડો. હાથી દવાવાલાને મળે છે અને મીઠાઈનું બોક્સ આપે છે. જેઠાલાલ વકીલને આખી વાત માંડીને કહે છે કે સૂરમા ભાઈએ કેવી રીતે તેમને 52 કલાકમાં દુકાન ખાલી કરવાની ધમકી આપી છે. વકીલ જેઠાલાલને પૂછે છે કે તે સૂરમા ભાઈને મળ્યા કે નહિ.

દુકાન બચાવવાનો ઉપાયઃ

વકીલ દવાવાલા જેઠાલાલ અને તેના સાથીઓને જણાવે છે કે આ પોલીસ કેસ નથી અને સારુ થયુ કે એ લોકો તેમની પાસે આવ્યા. તેમણે એમ પણ જણાવ્યું કે સૂરમા ભાઈનો કેસ મજબૂત છે. પણ વકીલ તેમને જણાવે છે કે તે તેમની દુકાન બચાવી શકે છે. તે ચંપક કાકાને કહે છે કે તેમની દુકાન નહિ વેચાય.

નટુકાકાને કાઢી મૂકવાની સલાહઃ

તે જેઠાલાલને નટુ કાકાને દુકાનમાંથી કાઢી મૂકવા જણાવે છે કે. તે જણાવે છે કે તે કોર્ટમાં પ્રૂવ કરશે કે આ ડીલ નટુ કાકા સાથે થઈ હતી અને દુકાનના માલિક જેઠાલાલ સાથે નહિ. તે એવી પણ સલાહ આપે છે કે એ લોકો નટુ કાકા સામે ક્રિમિનલ કેસ દાખલ કરી દેશે અને પુરવાર કરશે કે નટુ કાકા ફ્રોડ છે.

જેઠાલાલે કર્યો બચાવઃ

જેઠાલાલ આ વાત સાથે સંમત થતા નથી. તે પૂછે છે કે શું તે કેસ ફાઈલ કરશે તો નટુ કાકાને જેલ થશે? વકીલ કહે છે કે નટુ કાકાને જેલ તો થશે પણ દુકાન બચી જશે. નટુ કાકા કહે છે કે તે દુકાન બચાવવા માટે જેલમાં જવા તૈયાર છે. હવે જોવુ એ રહ્યું કે જેઠાલાલ આ સંજોગોમાં શું કરશે?



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2QxVGLE

No comments:

Post a Comment

Pages