Latest

Saturday, December 1, 2018

સુરતઃ સ્યુસાઈડ નોટ લખીને યોગગુરૂ પ્રદીપજીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

સુરતના જાણીતા યોગગુરૂ

સુરતઃ છેલ્લા ઘણા સમયથી શહેરમાં યોગગુરૂ તરીકે જાણીતા બનેલા પ્રદીપજીએ ગઈ કાલે રાત્રે સાત પેજની સ્યુસાઈડ નોટ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હાલમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

10 પેજની સ્યુસાઈડ નોટ લખી

મળે રહેલી વિગતો અનુસાર કામરેજના ઘોરણ પારડીમાં સત્યમ ફાઉન્ડેશન યોગ સંચાલક અને યોગગુરૂ પ્રદીપજી લોકોને માનસિક તણાવમાંથી મુક્ત કરાવવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ કોઈ કારણો સર પ્રદીપજીએ મોડી રાત્રે જંતુનાશક દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો. આ પહેલા તેમણે સાત પેજની સ્યુસાઈડ નોટ 10 કરતા વધુ લોકો સામે ગંભીર આરોપ લગાવ્યા છે.

રૂપિયાની લેતીદેતીમાં કર્યો આપઘાતનો પ્રયાસ

આપઘાત કરવા પાછળનું મુખ્ય કારણ તેમની સ્યુસાઈડ નોટમાં રૂપિયાની ઊઘરાણી હોવાનું જણાવ્યું. જેમાં સાધકોએ જમીન લેવા માટે રૂપિયા આપ્યા હતા. હવે તેઓ પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. આ અંગે પૂર્વ સાધકનું કહેવું છે કે સાધકો પાસેથી વ્યાજ વગરના કરોડો રૂપિયા લીધા છે જે પરત ન આપવા માટે આ સ્ટંટ કરવામાં આવ્યો છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2E7Ccqr

No comments:

Post a Comment

Pages