સીધી જ મળશે જાણકારી
જ્યારે પણ તમને બીમારી થઈ હોય છે અને હોસ્પિટલમાં સારવાર માટે જાઓ છો ત્યારે તમને અનેક પ્રકારના ટેસ્ટ કરવાનું કહેવામાં આવે છે. જેમાં અનેક ટેસ્ટ એવાં હોય છે. જેમાં તમારા બ્લડ પરથી ડોક્ટર બીમારીને દૂર કરવાનો ઉપાય સૂચવતાં હોય છે. જોકે, હવે એક એવી એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે. જેમાં તમારે બ્લડ નહિ આપવું પડે અને સીધી જ શરીરમાં લોહીની વિવિધ જાણકારી મળશે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
નહિ વહાવું પડે લોહી

હવે એક એવી એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેની મદદ વડે તમે લોહીનું એક ટીપું પણ વહેડાવ્યા વગર ટેસ્ટ કરાવી શકશો. એમોરી યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ આ એપ્લીકેશન ડેવલપ કરી છે. આ એપ્લિકેશન એનિમિયા રોગ માટે ખાસ ડેવલપ કરવામાં આવી છે.
બ્લડ ટેસ્ટનું કરશે કામ

આ ખાસ એપ્લિકેશન તમારા નખના ફોટોને સ્કેન કરીને બ્લડ ડિસઓર્ડર વિશે માહિતી પૂરી પાડશે. આ ઉપરાંત એપ્લિકેશનથી હિમોગ્લોબીનની માત્રાને પણ કાઉન્ટ કરી શકશે. આ એપ્લિકેશન એનિમિયાની બીમારીના લક્ષણો અને લોહીની ઉણપ જાણવામાં મદદરુપ થશે. એનિમિયા થવાના કારણો અનેક હોય શકે છે.
આપશે સંપૂર્ણ માહિતી

અનેકવાર જે દર્દીને એનિમિયાનો રોગ હોય છે તેની સ્થિતિ ગંભીર થઈ જાય છે. આ રોગ વધુ ન વકરે તે માટે રેગ્યુલર બ્લડ ટેસ્ટની જરુર પડે છે. જેથી શરીરમાં રહેલું રક્તનું નિયંત્રણ અને તેનો પ્રવાહ બરાબર કામ કરે છે કે નહિ તે જાણી શકાય. હવે બ્લડ ટેસ્ટ કરાવ્યા વગર જ આ એપ્લિકેશન લોહીને લગતી માહિતી પૂરી પાડશે.
એનિમિયાના લક્ષણો

મોટેભાગે શરીરમાં આયર્નની ઉણપને લીધે એનિમિયા થાય છે. જો શરીરમાં આયર્નની ઉણપ થાય છે તો રેડ બ્લડ સેલનું પ્રમાણ ઘટી જાય છે. જેને કારણે ઉચ્ચ રક્તચાપનું પ્રમાણ ઘટે છે. આ કારણે ઘણીવાર શરીરમાં ઓક્સિજનની ખામી પણ સર્જાય છે. આ કારણે શરીરમાં થાકનું પ્રમાણ, નબળાઈ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી મુશ્કેલીઓ પડે છે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2AQWtMP
No comments:
Post a Comment