Latest

Wednesday, December 5, 2018

તમારી લોનનો EMI કેમ બદલાયો? હવે જાણી શકશો ચોક્કસ કારણ

વધુ પારદર્શકતા લાવવાનો પ્રયાસ

પ્રીતિ મોતિયાણી, મુંબઈ: જો તમારી કોઈપણ પ્રકારની લોન ચાલતી હોય તો તમારા માટે હવે એક ગુડ ન્યૂઝ છે. રિઝર્વ બેંકે પ્રસ્તાવ મૂક્યો છે કે, બેંકો લોનો પર વ્યાજ હાલના ઈન્ટરનલ બેંચમાર્ક્સને બદલે વધુ પારદર્શિતા લાવવા એક્સટર્નલ બેન્ચમાર્ક્સના આધારે વસૂલે. બેંકો વિવિધ લોન પર વ્યાજના દર MCLR સાથે સાંકળીને તેને અવારનવાર બદલતી રહે છે. જેની ઘણીવાર ગ્રાહકો ફરિયાદ કરતા હોય છે.

બેંકો ગ્રાહકોને નથી આપતી પૂરો લાભ

હોમ લોન લેનારા મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે બેંકો જે ફોર્મ્યુલા પર વ્યાજ વસૂલે છે તેમાં જોઈએ એવી પારદર્શકતા નથી હોતી. એટલું જ નહીં, RBI વ્યાજ દરમાં ઘટાડો કરે તેનો બેંકો ગ્રાહકોને પૂરો લાભ ન આપતી હોવાની અવારનવાર ફરિયાદ થતી રહે છે. RBI વ્યાજના દર વધારે ત્યારે બેંકો તરત જ લોનો પર લેવાતું વ્યાજ વધારી દે છે, પરંતુ જ્યારે RBI તેમાં ઘટાડો કરે ત્યારે બેંકો તેનો લાભ લોન લેનારાઓને તે પ્રમાણે નથી આપતી.

1 એપ્રિલ 2019થી લાગુ કરવાનો પ્રસ્તાવ

જોકે, હવે RBI MCLRને બદલે એક્સટર્નલ બેન્ચમાર્કના આધારે લોનો પર લેવાત વ્યાજને નક્કી કરવાની ફોર્મ્યુલા બનાવી રહી છે. એક્સટર્નલ બેન્ચમાર્ક રેટમાં પરિવર્તન આવશે, ત્યારે લોનના વ્યાજ દરમાં પણ તે અનુસાર પરિવર્તન આવશે. રિઝર્વ બેંકે 1 એપ્રિલ 2019થી આ વ્યવસ્થા લાગુ થાય તેવો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં પ્રાઈમ લેન્ડિંગ રેટ, બેન્ચમાર્ક પ્રાઈમ લેન્ડિંગ રેટ, બેસ રેટ અને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)ને બદલે એક્સટર્નલ બેન્ચમાર્ક્સ લાગુ કરવાની દરખાસ્ત છે.

RBI શું ઈચ્છે છે?

આરબીઆઈની દરખાસ્ત અનુસાર, રિઝર્વ બેંક રેપો રેટ નક્કી કરે તે અનુસાર કે પછી ફાઈનાન્શઇયલ બેન્ચમાર્ક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (FBIL) દ્વારા રજૂ કરાયેલા ભારત સરકારના 91 કે 182 દિવસના ટ્રેઝરી બિલ કે પછી FBIL દ્વારા રજૂ કરાયેલા માર્કેટ ઈન્ટરેસ્ટ રેટને લગતા કોઈપણ બેન્ચમાર્કના આધારે બેંકો લોનનો વ્યાજ દર નક્કી કરી શકશે.

હાલ MCLR સાથે સંકળાયેલા છે વ્યાજના દર

આરબીઆઈના હાલના નિર્દેશ અનુસાર, 1 એપ્રિલ 2016 પછી અપાયેલી કાર, હોમ કે પછી અન્ય લોનના વ્યાજ દરને MCLR સાથે સાંકળી લેવામાં આવ્યા છે. બેંક દ્વારા અપાતી લોનોના વ્યાજ દરમાં પાદર્શિતા રહે તે માટે હાલ તેને MCLR સાથે સાંકળવામાં આવ્યા છે. જોકે, બેંકો RBI રેપો રેટમાં કોઈ ઘટાડો કરે તો તે અનુસાર લોન લેનારાને ફાયદો ન આપતી હોવાની વ્યાપક ફરિયાદો પછી હવે મધ્યસ્થ બેંક હાલની સિસ્ટમમાં પરિવર્તન ઈચ્છે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2zLSdP1

No comments:

Post a Comment

Pages